अथाध्यवसायं पापपुण्ययोर्बन्धहेतुत्वेन दर्शयति–
कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पावं।। २६३।।
तह वि य सच्चे दत्ते बंभे अपरिग्गहत्तणे चेव।
कीरदि अज्झवसाणं जं तेण दु बज्झदे पुण्णं।। २६४।।
क्रियतेऽध्यवसानं यत्तेन तु बध्यते पापम्।। २६३।।
तथापि च सत्ये दत्ते ब्रह्मणि अपरिग्रहत्वे चैव।
क्रियतेऽध्यवसानं यत्तेन तु बध्यते पुण्यम्।। २६४।।
હવે, (હિંસા-અહિંસાની જેમ સર્વ કાર્યોમાં) અધ્યવસાયને જ પાપ-પુણ્યના બંધના કારણપણે દર્શાવે છેઃ-
જે થાય અધ્યવસાન તેથી પાપબંધન થાય છે. ૨૬૩.
એ રીત સત્યે, દત્તમાં, વળી બ્રહ્મ ને અપરિગ્રહે
જે થાય અધ્યવસાન તેથી પુણ્યબંધન થાય છે. ૨૬૪.
ગાથાર્થઃ– [एवम्] એ રીતે (અર્થાત્ પૂર્વે હિંસાના અધ્યવસાય વિષે કહ્યું તેમ) [अलीके] અસત્યમાં, [अदत्ते] અદ્રત્તમાં, [अब्रह्मचर्ये] અબ્રહ્મચર્યમાં [च एव] અને [परिग्रहे] પરિગ્રહમાં [यत्] જે [अध्यवसानं] અધ્યવસાન [क्रियते] કરવામાં આવે [तेन तु] તેનાથી [पापं बध्यते] પાપનો બંધ થાય છે; [तथापि च] અને તેવી જ રીતે [सत्ये] સત્યમાં, [दत्ते] દત્તમાં, [ब्रह्मणि] બ્રહ્મચર્યમાં [च एव] અને [अपरिग्रहत्वे] અપરિગ્રહમાં [यत्] જે [अध्यवसानं] અધ્યવસાન [क्रियते] કરવામાં આવે [तेन तु] તેનાથી [पुण्यं बध्यते] પુણ્યનો બંધ થાય છે.
ટીકાઃ– એ રીતે (-પૂર્વોકત રીતે) અજ્ઞાનથી આ જે હિંસામાં અધ્યવસાય કરવામાં આવે છે તેમ અસત્ય, અદત્ત, અબ્રહ્મચર્ય અને પરિગ્રહમાં પણ જે