Pravachan Ratnakar (Gujarati). Gatha: 268-269.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2650 of 4199

 

ગાથા ૨૬૮–૨૬૯
सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए।
देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं।। २६८।।
धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च।
सव्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं।। २६९।।
सर्वान् करोति जीवोऽध्यवसानेन तिर्यङ्नैरयिकान्।
देवमनुजांश्च सर्वान् पुण्यं पापं च नैकविधम्।। २६८।।
धर्माधर्म च तथा जीवाजीवौ अलोकलोकं च।
सर्वान् करोति जीवः अध्यवसानेन आत्मानम्।। २६९।।

હવે આ અર્થને સ્પષ્ટ રીતે ગાથામાં કહે છેઃ-

તિર્યંચ, નારક, દેવ, માનવ, પુણ્ય પાપ વિવિધ જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૮.
વળી એમ ધર્મ અધર્મ, જીવ–અજીવ, લોક–અલોક જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૯.

ગાથાર્થઃ– [जीवः] જીવ [अध्यवसानेन] અધ્યવસાનથી [तिर्यङ्नैरयिकान्] તિર્યંચ, નારક, [देवमनुजान् च] દેવ અને મનુષ્ય [सर्वान्] એ સર્વ પર્યાયો, [च] તથા [नैकविधम्] અનેક પ્રકારનાં [पुण्यं पापं] પુણ્ય અને પાપ- [सर्वान्] એ બધારૂપ [करोति] પોતાને કરે છે. [तथा च] વળી તેવી રીતે [जीवः] જીવ [अध्यवसानेन] અધ્યવસાનથી [धर्माधर्म] ધર્મ-અધર્મ, [जीवाजीवौ] જીવ-અજીવ [च] અને [अलोकलोकं] લોક-અલોક- [सर्वान्] એ બધારૂપ [आत्मानम् करोति] પોતાને કરે છે.

ટીકાઃ– જેવી રીતે આ આત્મા પૂર્વોકત પ્રકારે *ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, (અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે) અને અન્ય અધ્યવસાનોથી પોતાને અન્ય કરે છે, તેવી જ રીતે ઉદયમાં _________________________________________________________________ * હિંસા આદિનાં અધ્યવસાનો રાગદ્વેષના ઉદયમય એવી હણવા આદિની ક્રિયાઓથી ભરેલાં છે,

અર્થાત્ તે ક્રિયાઓ સાથે આત્માનું તન્મયપણું હોવાની માન્યતારૂપ છે.