Pravachan Ratnakar (Gujarati). Kalash: 172.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2651 of 4199

 

સમયસાર ગાથા ૨૬૮-૨૬૯ ] [ ૧૭૧

(इन्द्रवज्रा)
विश्वाद्विभक्तोऽपि हि यत्प्रभावा–
दात्मानमात्मा विदधाति विश्वम्।
मोहैककन्दोऽध्यवसाय एष
नास्तीह येषां यतयस्त एव।।
१७२।।

આવતા નારકના અધ્યવસાનથી પોતાને નારક (-નારકી) કરે છે, ઉદયમાં આવતા તિર્યંચના અધ્યવસાનથી પોતાને તિર્યંચ કરે છે, ઉદયમાં આવતા મનુષ્યના અધ્યવસાનથી પોતાને મનુષ્ય કરે છે, ઉદયમાં આવતા દેવના અધ્યવસાનથી પોતાને દેવ કરે છે, ઉદયમાં આવતા સુખ આદિ પુણ્યના અધ્યવસાનથી પોતાને પુણ્યરૂપ કરે છે અને ઉદયમાં આવતા દુઃખ આદિ પાપના અધ્યવસાનથી પોતાને પાપરૂપ કરે છે; વળી તેવી જ રીતે જાણવામાં આવતો જે ધર્મ (અર્થાત્ ધર્માસ્તિકાય) તેના અધ્યવસાનથી પોતાને ધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અધર્મના (અર્થાત્ અધર્માસ્તિકાયના) અધ્યવસાનથી પોતાને અધર્મરૂપ કરે છે, જાણવામાં આવતા અન્ય જીવના અધ્યવસાનથી પોતાને અન્યજીવરૂપ કરે છે, જાણવામાં આવતા પુદ્ગલના અધ્યવસાનથી પોતાને પુદ્ગલરૂપ કરે છે, જાણવામાં આવતા લોકાકાશના અધ્યવસાનથી પોતાને લોકાકાશરૂપ કરે છે અને જાણવામાં આવતા અલોકાકાશના અધ્યવસાનથી પોતાને અલોકાકાશરૂપ કરે છે. (આ રીતે આત્મા અધ્યવસાનથી પોતાને સર્વરૂપ કરે છે.)

ભાવાર્થઃ– આ અધ્યવસાન અજ્ઞાનરૂપ છે તેથી તેને પોતાનું પરમાર્થ સ્વરૂપ ન જાણવું. તે અધ્યવસાનથી જ આત્મા પોતાને અનેક અવસ્થારૂપ કરે છે અર્થાત્ તેમનામાં પોતાપણું માની પ્રવર્તે છે.

હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનિકારૂપે કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–

[विश्वात् विभक्तः अपि हि] વિશ્વથી (સમસ્ત દ્રવ્યોથી) ભિન્ન હોવા

છતાં [आत्मा] આત્મા [यत्–प्रभावात् आत्मानम् विश्वम् विदधाति] જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે [एषः अध्यवसायः] એવો આ અધ્યવસાય- [मोह–एक–कन्दः] કે જેનું મોહ જ એક મૂળ છે તે- [येषां इह नास्ति] જેમને નથી [ते एव यतयः] તે જ મુનિઓ છે. ૧૭૨.

*
સમયસાર ગાથા ૨૬૮–૨૬૯ઃ મથાળું

હવે આ અર્થને સ્પષ્ટ રીતે ગાથામાં કહે છેઃ-