સમયસાર ગાથા ર૬૮-ર૬૯ ] [ ૧૮૩ મારું-જિવાડું ઈત્યાદિ અનેક પ્રકારે પરનું હું કરું છું એમ પરમાં એકત્વબુદ્ધિ કરીને પોતાને પરરૂપ-વિશ્વરૂપ કરે છે-તે મિથ્યાદ્રષ્ટિ છે.
ત્યારે કોઈ પંડિતો વળી કહે છે-આત્મા પરનું ન કરે-ન કરી શકે એમ જે માને તે દિગંબર જૈન નથી.
અરે ભગવાન! તું શું કહે છે આ? આભના થોભ જેવા મહાન દિગંબર આચાર્ય ભગવાન કુંદકુંદાચાર્ય આદિ તો આ કહે છે કે-પરની ક્રિયા હું કરું એવો જેને અધ્યવસાય છે તે મિથ્યાદ્રષ્ટિ છે, અને એવા અધ્યવસાયથી રહિત જે છે તે જ જૈન છે, સમકિતી છે. ભાઈ! તારી વાતમાં બહુ ફરક છે બાપુ! (જરા ઉંડાણમાં જઈ સંશોધન કર).
જુઓ, આ શું કહે છે? -કે જેના પ્રભાવથી પોતાને વિશ્વરૂપ કરે છે એવો આ અધ્યવસાય-’ मोह–एक–कन्दः’ કે જેનું મોહ જ એક મૂળ છે તે ‘येषां इह नास्ति’ જેમને નથી’ ते एव यतयः’ તે જ મુનિઓ છે.
અહાહા...! પોતાનો તો જગતના સર્વ પદાર્થોને કોઈને પણ બાકી રાખ્યા વિના જાણે એવો એક જ્ઞાયકભાવ છે. પરંતુ તેને ભૂલીને કોઈને બાકી રાખ્યા વિના એ સર્વ પદાર્થ મારા છે અને એને હું કરું છું એવો જે અધ્યવસાય કરે છે તેનું મૂળ એક મોહ જ છે એમ કહે છે. અહા! પરમાં એકત્વબુદ્ધિનો જે અધ્યવસાય છે તેનું મૂળ એક મિથ્યાત્વ જ છે. આવો અધ્યવસાય જેમને નથી તેઓ જ મુનિઓ છે. અહીં મુનિદશાની પ્રધાનતાથી વાત છે, બાકી સમકિતીને ચોથે અને શ્રાવકને પાંચમે ગુણસ્થાને પણ આવો પરની એકત્વબુદ્ધિનો અધ્યવસાય હોતો નથી.
કોઈ લોકો વળી કહે છે-એ (-શ્રી કાનજીસ્વામી) શ્વેતાંબર માન્યતાવાળા છે. એમ કે પોતે લુગડાં પહેરે છે ને સાધુ નથી છતાં સાધુ-ગુરુ મનાવે છે. પોતે વસ્ત્ર પહેરે છે અને વસ્ત્રરહિતને ગુરુ માનતા નથી.
પણ અમે સાધુ અર્થાત્ નિર્ગ્રંથગુરુ ક્યાં છીએ ભાઈ? અમારી તો ગૃહસ્થદશા છે. નિર્ગ્રંથગુરુની, મુનિવરની તો અદ્ભુત અલૌકિક અંતરદશા હોય છે. બહારમાં વસ્ત્રથી નગ્ન ને અંતરમાં રાગથી નગ્ન જેમની પરિણતિ થઈ છે એવી અદ્ભુત દશા મુનિરાજની હોય છે. પરનું ભલું-બુરું કરવાની બુદ્ધિ જેમને નાશ પામી છે અને જેમની જ્ઞાતા- દ્રષ્ટાસ્વભાવની પરિણતિ પ્રચુર આનંદરસથી ઉભરાઈ છે એવા ઉપશમરસમાં તરબોળ મુનિવરો હોય છે. અહા! મોહગ્રંથિનો જેમણે નાશ કર્યો છે. એવા નિર્ગ્રંથ ગુરુ-સાધુ જન્મ્યા પ્રમાણે રૂપના ધરનારા (યથાજાતરૂપધર) હોય છે. અહો! ધન્ય તે મુનિદશા!
અહાહા... જેનો સહજ એક જ્ઞાયકભાવ છે એવા આત્માનો સ્વને પરને જાણવાનો