૧૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ ગુણ અને એકમાત્ર જ્ઞપ્તિક્રિયા પર્યાય તે હું આત્મા છું. પણ એથી વિપરીત આ હું મનુષ્ય, નારકી આદિ છું, આ ધર્માદિ દ્રવ્યો જણાય છે તે મારાં છે અને હું પરને જિવાડું-મારું છું ઈત્યાદિ પરની ક્રિયા કરી શકું છું-એવાં જે અધ્યવસાન છે તે અજ્ઞાન છે, અદર્શન છે, ભગવાન આત્માનાં અનાચરણરૂપ અચારિત્ર છે. હવે કહે છે-
જોયું? હું મનુષ્ય છું, હું દેવ છું એમ જાણે, માને ને વર્તે તથા બીજાની દયા કરું
ને બીજાને સુખી કરી દઉં એમ પરની ક્રિયાનો સ્વામી થઈ પ્રવર્તે એ બધુંય ભગવાન આત્માનું અજ્ઞાન, અદર્શન અને અનાચરણ હોવાથી બંધનું નિમિત્ત છે. જ્ઞાનમાં ધર્માદિ પર ચીજો જણાણી ત્યાં તે ચીજો મારામાં છે એમ માને તે સંસારમાં રખડવા માટે છે. આ પ્રમાણે અજ્ઞાનીની અવળી માન્યતાના બોલ કીધા. હવે જ્ઞાનીના સવળા કહે છે.
(મુનિવરો), સત્રૂપ અહેતુક જ્ઞપ્તિ જ જેની એક ક્રિયા છે, સત્રૂપ અહેતુક જ્ઞાયક જ એક જેનો ભાવ છે અને સત્રૂપ અહેતુક જ્ઞાન જ જેનું એક રૂપ છે એવા ભિન્ન આત્માને (- સર્વ અન્યદ્રવ્યોથી જુદા આત્માને) જાણતા થકા, સમ્યક્ પ્રકારે દેખતા (શ્રદ્ધતા) થકા અને અનુસરતા થકા, સ્વચ્છ અને સ્વચ્છંદપણે ઉદયમાન (અર્થાત્ સ્વાધીનપણે પ્રકાશમાન) એવી અમંદ અંતર્જ્યોતિને અજ્ઞાનાદિરૂપપણાનો અત્યંત અભાવ હોવાથી શુભ કે અશુભ કર્મથી ખરેખર લેપાતા નથી.’
અધ્યવસાનો વિદ્યમાન નથી તે મુનિકુંજરો અર્થાત્ ઉત્તમ મુનિવરો છે. અહા! તો એ ધર્માત્મા-સંતની ક્રિયા કઈ? જુઓ, દેહની ક્રિયા થાય અને વ્રત, તપ, દયા, દાન આદિ રાગની ક્રિયા થાય તે એની-ધર્માત્માની ક્રિયા નહિ. એની તો સત્રૂપ અહેતુક એક જ્ઞપ્તિ જ ક્રિયા છે. આ જાણવા-દેખવાની, શ્રદ્ધવાની અને અંતરમાં ઠરવાની ક્રિયા એ જ એક એની સ્વાભાવિક ક્રિયા છે.
આત્મા પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ એકલા ચૈતન્યરસ-જ્ઞાનરસનું સત્ત્વ પોતે એક જ્ઞાયકભાવ સ્વરૂપ છે- એમ સંતો અનુભવે છે. આમાં બીજાને (-અજ્ઞાનીને) થાય કે શું હશે આ? કોણ જાણે ક્યાં હશે આવું? આ બધું-રૂપાળો દેહ, ધન-સંપત્તિ ને કુટુંબ-પરિવાર ઈત્યાદિ બહારમાં દેખે એટલે એને મન ઓ હો... હો... હો... થઈ જાય. પણ ભાઈ! એ તો બધી મસાણના ફોસ્ફરસની ચમક છે બાપા! ક્યાંય ભસ્મ થઈ જશે. અરે! આ બધાં મારાં છે એમ કરીને એણે, પોતે જીવતી-જાગતી જ્ઞાનાનંદજ્યોતિ છે તેને હણી નાખી છે. શું કીધું? હું જ્ઞાનાનંદસ્વરૂપ છું એમ ન માનતાં હું દેહાદિસ્વરૂપ છું અને તે વડે