किमेतदध्यवसानं नामेति चेत्–
एक्कट्ठमेव सव्वं चित्तं भावो य परिणामो।। २७१।।
एकार्थमेव सर्व चित्तं भावश्च परिणामः।। २७१।।
“અધ્યવસાન શબ્દ વારંવાર કહેતા આવ્યા છો, તે અધ્યવસાન શું છે? તેનું સ્વરૂપ બરાબર સમજવામાં નથી આવ્યું.” આમ પૂછવામાં આવતાં, હવે અધ્યવસાનનું સ્વરૂપ ગાથામાં કહે છેઃ-
પરિણામ, ચિત્ત ને ભાવ–શબ્દો સર્વ આ એકાર્થ છે. ૨૭૧.
ગાથાર્થઃ– [बुद्धिः] બુદ્ધિ, [व्यवसायः अपि च] વ્યવસાય, [अध्यवसानं] અધ્યવસાન, [मतिः च] મતિ, [विज्ञानम्] વિજ્ઞાન, [चित्तं] ચિત્ત, [भावः] ભાવ [च] અને [परिणामः] પરિણામ- [सर्व] એ બધા [एकार्थम् एव] એકાર્થ જ છે (-નામ, જુદાં છે, અર્થ જુદા નથી).
ટીકાઃ– સ્વ-પરનો અવિવેક હોય (અર્થાત્ સ્વ-પરનું ભેદજ્ઞાન ન હોય) ત્યારે જીવની ૧અધ્યવસિતિમાત્ર તે અધ્યવસાન છે; અને તે જ (અર્થાત્ જેને અધ્યવસાન કહ્યું તે જ) બોધનમાત્રપણાથી બુદ્ધિ છે, ૨વ્યવસાનમાત્રપણાથી વ્યવસાય છે, ૩મનનમાત્રપણાથી મતિ છે, વિજ્ઞપ્તિમાત્રપણાથી વિજ્ઞાન છે, ચેતનામાત્રપણાથી ચિત્ત છે, ચેતનના ભવનમાત્રપણાથી ભાવ છે, ચેતનના પરિણમનમાત્રપણાથી પરિણામ છે. (આ રીતે આ બધાય શબ્દો એકાર્થ છે.)
ભાવાર્થઃ– આ જે બુદ્ધિ આદિ આઠ નામોથી કહ્યા તે બધાય ચેતન આત્માના પરિણામ છે. જ્યાં સુધી સ્વપરનું ભેદજ્ઞાન ન હોય ત્યાં સુધી જીવને જે પોતાના _________________________________________________________________ ૧. અધ્યવસિતિ = (એકમાં બીજાની માન્યતાપૂર્વક) પરિણતિ; (મિથ્યા) નિશ્ચિતિ; (ખોટો) નિશ્ચય
ર. વ્યવસાન = કામમાં લાગ્યા રહેવું તે; ઉદ્યમી હોવું તે; નિશ્ચય હોવો તે. ૩. મનન = માનવું તે; જાણવું તે.