Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2697 of 4199

 

સમયસાર ગાથા-ર૭૧ ] [ ર૧૭

ત્યારે કહ્યું-અરે ભાઈ! ક્યા કામમાં તારે રહેવું છે? બાપુ! તને પરનાં કામ કરવાની હોંશુ છે પણ શું તું પરનાં કામ કરી શકે છે? કદાપિ નહિ; કેમકે પર પદાર્થો- પરમાણુ વગેરે સૌ પોતાના કાર્યને સ્વતંત્ર કરીને ઊભા (-અવસ્થિત) છે. તે પોતપોતાનું કાર્ય પ્રતિસમય પોતે જ કરી રહ્યા છે ત્યાં તું શું કરે? તું કહે કે હું આનું કાર્ય કરી દઊં એ તો કેવળ મિથ્યાબુદ્ધિ છે. પછી ડોકટરને થયું કે આ સાંભળવાથી તો કદાચ (પરનાં કામ) કરવાની હોંશુ નાશ પામી જશે. તેની સાંભળવા આવવું બંધ કર્યું.

ભાઈ! વાત તો આમ જ છે, સાચી છે. લૌકિક કાર્યોમાં હોંશુ હોય એ તો શું,

લોકોત્તર વ્યવહાર જે જિનવરદેવે પંચમહાવ્રતાદિનો કહેલો છે તે પણ દુઃખરૂપ છે એવું ભગવાન જિનવરદેવનું વચન છે. એને છોડીને અહીં તો સ્વરૂપમાં જ સમાઈ જવાની વાત છે. સમજાણું કાંઈ...?

[પ્રવચન નં. ૩ર૪ (શેષ) અને ૩રપ * દિનાંક ર૦-ર-૭૭ થી રર-ર-૭૭]
×