आयारादी णाणं जीवादी दंसणं च विण्णेयं। छज्जीवणिकं च तहा भणदि चरित्तं तु ववहारो।। २७६।। आदा खु मज्झ णाणं आदा मे दंसणं चरित्तं च। आदा पच्चक्खाणं आदा मे संवरो जोगो।। २७७।।
षड्जीवनिकायं च तथा भणति चरित्रं तु व्यवहारः।। २७६।।
आत्मा खलु मम ज्ञानमात्मा मे दर्शनं चरित्रं च।
आत्मा प्रत्याख्यानमात्मा मे
હવે પૂછે છે કે “નિશ્ચયનય વડે નિષેધ્ય (અર્થાત્ નિષેધાવાયોગ્ય) જે વ્યવહારનય, અને વ્યવહારનયનો નિષેધક જે નિશ્ચયનય-તે બન્ને નયો કેવા છે?” એવું પૂછવામાં આવતાં વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ કહે છે;-
ષટ્જીવનિકાય ચરિત છે, –એ કથન નય વ્યવહારનું. ૨૭૬.
મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન–ચરિત છે,
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર–યોગ છે. ૨૭૭.
ગાથાર્થઃ– [आचारादि] આચારાંગ આદિ શાસ્ત્રો તે [ज्ञानं] જ્ઞાન છે, [जीवादि] જીવ આદિ તત્ત્વો તે [दर्शनं विज्ञेयम् च] દર્શન જાણવું [च] અને [षड्जीवनिकायं] છ જીવ-નિકાય તે [चरित्रं] ચારિત્ર છે- [तथा तु] એમ તો [व्यवहारः भणति] વ્યવહારનય કહે છે.
[खलु] નિશ્ચયથી [मम आत्मा] મારો આત્મા જ [ज्ञानम्] જ્ઞાન છે, [मे आत्मा] મારો આત્મા જ [दर्शनं चरित्रं च] દર્શન અને ચારિત્ર છે, [आत्मा] મારો આત્મા જ [प्रत्याख्यानम्] પ્રત્યાખ્યાન છે, [मे आत्मा] મારો આત્મા જ [संवरः योगः] સંવર અને યોગ (-સમાધિ, ધ્યાન) છે.