Pravachan Ratnakar (Gujarati). Kalash: 174.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2746 of 4199

 

૨૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

(उपजाति)
रागादयो बन्धनिदानमुक्ता–
स्ते शुद्धचिन्मात्रमहोऽतिरिक्ताः।
आत्मा परो वा किमु तन्निमित्त–
मिति प्रणुन्नाः पुनरेवमाहुः।। १७४।।

શ્લોકાર્થઃ– [रागादयः बन्धनिदानम् उक्ताः] “રાગાદિકને બંધનાં કારણ કહ્યા અને વળી [ते शुद्ध–चिन्मात्र–महः–अतिरिक्ताः] તેમને શુદ્ધચૈતન્યમાત્ર જ્યોતિથી (અર્થાત્ આત્માથી) ભિન્ન કહ્યા; [तद्–निमित्तम्] ત્યારે તે રાગાદિકનું નિમિત્ત [किमु आत्मा वा परः] આત્મા છે કે બીજું કોઈ?” [इति प्रणुन्नाः पुनः एवम् आहुः] એવા (શિષ્યના) પ્રશ્નથી પ્રેરિત થયા થકા આચાર્યભગવાન ફરીને આમ (નીચે પ્રમાણે) કહે છે. ૧૭૪.

*
સમયસાર ગાથા ૨૭૬–૨૭૭ઃ મથાળું

હવે પૂછે છે કે-“નિશ્ચયનય વડે નિષેધ્ય (અર્થાત્ નિષેધાવાયોગ્ય) જે વ્યવહારનય, અને વ્યવહારનયનો નિષેધક જે નિશ્ચયનય-તે બન્ને નયો કેવા છે? ” એવું પૂછવામાં આવતાં વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ કહે છેઃ-

* ગાથા ૨૭૬–૨૭૭ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે કારણ કે તે (શબ્દશ્રુત) જ્ઞાનનો આશ્રય છે, જીવ આદિ નવ પદાર્થો દર્શન છે કારણ કે તે (નવ પદાર્થો) દર્શનનો આશ્રય છે, અને છ જીવ’ નિકાય ચારિત્ર છે કારણ કે તે (છ જીવ-નિકાય) ચારિત્રનો આશ્રય છે; એ પ્રમાણે વ્યવહાર છે.’

જુઓ, અહીં આચારાંગ આદિ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલાં જૈનદર્શનનાં શાસ્ત્રોને નિમિત્તપણે લીધાં છે; અજ્ઞાનીઓએ કહેલાં નહિ. આચારાંગ આદિ શાસ્ત્ર શ્વેતાંબરમાં છે નહિ; એ તો ફક્ત નામ પાડયાં છે. આ તો વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની ઓમ્ધ્વનિ અનુસાર રચાયેલાં શાસ્ત્રોની વાત છે. અહીં શું કહેવું છે? કે આચારાંગ આદિ શાસ્ત્રોનું જ્ઞાન તે વ્યવહાર છે અને તે નિષેધ કરવા લાયક છે.

શું કહે છે? કે આચારાંગ આદિ શબ્દશ્રુત તે જ્ઞાન છે. એ શાસ્ત્રોના શબ્દોનું જ્ઞાન તે શબ્દશ્રુતજ્ઞાન કહેવાય છે કેમકે તે જ્ઞાનનો આશ્રય-હેતુ-નિમિત્ત શબ્દો છે. ઝીણી વાત બાપુ! આ આચારાંગ આદિ શબ્દો છે એ વ્યવહાર-જ્ઞાનનો આશ્રય-નિમિત્ત છે, તેથી તેને શબ્દશ્રુતજ્ઞાન વ્યવહારે કહીએ છીએ.