Pravachan Ratnakar (Gujarati). Kalash: 179.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2822 of 4199

 

૩૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

(मंदाक्रान्ता)
रागादीनामुदयमदयं दारयत्कारणानां
कार्य बन्धं विविधमधुना सद्य एव प्रणुद्य।
ज्ञानज्योतिः क्षपिततिमिरं साधु सन्नद्धमेतत्
तद्वद्यद्वत्प्रसरमपरः कोऽपि नास्यावृणोति।। १७९।।

જેનું મૂળ છે એવી આ બહુ ભાવોની સંતતિને એકીસાથે ઉખેડી નાખવાને ઈચ્છતો, પુરુષ, [तत् किल समग्रं परद्रव्यं बलात् विवेच्य] તે સમસ્ત પરદ્રવ્યને બળથી (-ઉદ્યમથી, પરાક્રમથી) ભિન્ન કરીને (ત્યાગીને), [निर्भरवहत्–पूर्ण–एफ–संविद्–युतं आत्मानं] અતિશયપણે વહેતું (-ધારાવાહી) જે પૂર્ણ એક સંવેદન તેનાથી યુક્ત એવા પોતાના આત્માને [समुपैति] પામે છે, [येन] કે જેથી [उन्मूलितबन्धः एषः भगवान् आत्मा] જેણે કર્મબંધનને મૂળથી ઉખેડી નાખ્યું છે એવો આ ભગવાન આત્મા [आत्मनि] પોતામાં જ (-આત્મામાં જ) [स्फूर्जति] સ્ફુરાયમાન થાય છે.

ભાવાર્થઃ– પરદ્રવ્યનું અને પોતાના ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું જાણી સમસ્ત પરદ્રવ્યને ભિન્ન કરવામાં-ત્યાગવામાં આવે ત્યારે સમસ્ત રાગાદિભાવોની સંતતિ કપાઈ જાય છે અને ત્યારે આત્મા પોતાનો જ અનુભવ કરતો થકો કર્મના બંધનને કાપી પોતામાં જ પ્રકાશે છે. માટે જે પોતાનું હિત ચાહે છે તે એવું કરો. ૧૭૮.

હવે બંધ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે જ્ઞાનના મહિમાના અર્થનું કળશકાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [कारणानां रागादीनाम् उदयं] બંધનાં કારણરૂપ જે રાગાદિક (રાગાદિકભાવો) તેમના ઉદયને [अदयम्] નિર્દય રીતે (અર્થાત્ ઉગ્ર પુરુષાર્થથી) [दारयत्] વિદારતી થકી, [कार्य विविधम् बन्धं] તે રાગાદિકના કાર્યરૂપ (જ્ઞાનાવરણાદિ) અનેક પ્રકારના બંધને [अधुना] હમણાં [सद्यः एव] તત્કાળ જ [प्रणुद्य] દૂર કરીને, [एतत् ज्ञानज्योतिः] આ જ્ઞાનજ્યોતિ- [क्षपिततिमिरं] કે જેણે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કર્યો છે તે- [साधु] સારી રીતે [सन्नद्धम्] સજ્જ થઈ, - [तद्–वत् यद्–वत्] એવી રીતે સજ્જ થઈ કે [अस्य प्रसरम् अपरः कः अपि न आवृणोति] તેના ફેલાવને બીજું કોઈ આવરી શકે નહિ.

ભાવાર્થઃ– જ્યારે જ્ઞાન પ્રગટ થાય છે, રાગાદિક રહેતા નથી, તેમનું કાર્ય જે બંધ તે પણ રહેતો નથી, ત્યારે પછી તેને (-જ્ઞાનને) આવરણ કરનારું કોઈ રહેતું નથી, તે સદાય પ્રકાશમાન જ રહે છે. ૧૭૯.