સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ] [ ૩૪૭ નથી કારણ કે તેઓ પરદ્રવ્યના પરિણામ હોવાથી તેમને આત્માના કાર્યપણાનો અભાવ છે,....’
શું કહે છે? કે એને માટે કરેલો જે આહાર છે એને લેવાના એ (-મુનિ) દોષયુક્ત પરિણામ કરતો જ નથી. નિર્દોષ હોય તો લે નહિતર મુનિ ચાલ્યા જાય. એને માટે બનાવેલું છે એ લે તો એ રાગ છે, (ભૂમિકાથી વિરુદ્ધનો એ રાગ છે.) ને રાગનું કાર્ય તો અજ્ઞાનીનું છે, એનું (-જ્ઞાનીનું, મુનિનું) નહિ. પોતાને માટે બનેલો આહાર લે એ ધર્મીનું-મુનિનું કાર્ય નથી; અહા! એ આત્માનું કાર્ય નથી.
પ્રશ્નઃ– એ આત્માનું કાર્ય નથી તો પછી એ લે તો શું વાંધો? ઉત્તરઃ– ના, એ કદીય ના લે. અહીં તો એના માટે બનાવેલા આહારને લેવાનો એને ભાવ હોતો જ નથી તેથી તે એનું કાર્ય નથી એમ કહ્યું છે. સમજાણું કાંઈ....? મુનિરાજને-ભાવલિંગી સંતને પોતાને માટે બનાવેલાં આહાર-જળ લેવાના પરિણામ થતા જ નથી માટે તે એનું-આત્માનું કાર્ય નથી, કેમકે એ રાગના પરિણામ પરદ્રવ્યના- પુદ્ગલના પરિણામ છે. આવી વાત છે!
‘માટે અધઃકર્મ અને ઉદ્દેશિક એવું જે પુદ્ગલદ્રવ્ય તે મારું કાર્ય નથી કારણકે તે નિત્ય અચેતન હોવાથી તેને મારા કાર્યપણાનો અભાવ છે,’ .....
જોયું? ‘અધઃકર્મ અને ઉદ્દેશિક એવું પુદ્ગલદ્રવ્ય મારું કાર્ય નથી’ એનો અર્થ એ છે કે એ લેવાના પરિણામ મારા (આત્માના) હોઈ શકે જ નહિ, એ તો પરમાણુના- જડના છે. અહા! જેની દ્રષ્ટિ શુદ્ધની છે અર્થાત્ જે શુદ્ધ દ્રષ્ટિવંત છે એને અશુદ્ધતા પોતાનું કાર્ય હોય જ નહિ અર્થાત્ તે અશુદ્ધતાનો કર્તા છે જ નહિ, અશુદ્ધતા તો જડ-પુદ્ગલનું કાર્ય છે.
વિ. સં. ૧૯૬૯ માં પ્રશ્ન થયો હતો કે-તમારા માટે મકાન બનાવ્યું, તમે કર્યું નથી, કરાવ્યું નથી; તો એને વાપરો તો એમાં શું? એમ કે એમાં શું દોષ?
ત્યારે કહ્યું કે નવકોટિમાં એક ‘અનુમોદના’ ની કોટિ એમાં તૂટે છે. વાપરે તો નવકોટિમાં એક કોટિએ ભંગ થતાં નવે કોટિ જૂઠી થઈ જાય છે. અહા! મુનિરાજ કહે છે- અધઃકર્મ આદિ અશુદ્ધતા અમારું કાર્ય જ નથી.
અહાહા....! મુનિરાજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મામાં અંતર્નિમગ્ન હોય છે. તે સમ્યગ્દર્શન-જ્ઞાન ને પ્રચુર આનંદના સ્વામી છે. તેથી તેની ભૂમિકામાં ઉદ્દેશિક આહાર ન લેવો એટલે કે એને લેવા પ્રત્યેનો ભાવ ન થવો એ સહજ છે; અને એને ઉદ્દેશિકનો ત્યાગ ને પચખાણ કહે છે. અહાહા...! અધઃકર્મ ને ઉદ્દેશિક આહાર એ તો પુદ્ગલદ્રવ્યનું કાર્ય છે, એને મુનિરાજ લે એ રાગનું અજ્ઞાનમય કાર્ય છે, પણ એવો રાગ એ મુનિદશામાં હોય જ નહિ. તેથી કહે છે કે-એ મારું કાર્ય નથી, એ નિત્ય