ભાગ-૨] [પ
एकोऽपि क्रिस्वभावत्वाद्वयवहारेण मेचकः।। १७ ।।
सर्वभावान्तरध्वंसिस्वभावत्वादमेचकः।। १८ ।।
__________________________________________________
હવે, એ જ અર્થનો કલશરૂપ શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ– [प्रमाणतः] પ્રમાણદ્રષ્ટિથી જોઈએ તો [आत्मा] આ આત્મા [समम् मेचकः अमेचकः च अपि] એકીસાથે અનેક અવસ્થારૂપ (‘મેચક’) પણ છે અને એક અવસ્થારૂપ (‘અમેચક’) પણ છે, [दर्शन–ज्ञान–चारित्रैः क्रित्वात्] કારણ કે એને દર્શન-જ્ઞાન-ચારિત્રથી તો ત્રણપણું છે અને [स्वयम् एकत्वतः] પોતાથી પોતાને એકપણું છે.
ભાવાર્થઃ– પ્રમાણદ્રષ્ટિમાં ત્રિકાળસ્વરૂપ વસ્તુ દ્રવ્યપર્યાયરૂપ જોવામાં આવે છે, તેથી આત્મા પણ એકીસાથે એકાનેકસ્વરૂપ દેખવો. ૧૬. હવે નિયવિવક્ષા કહે છેઃ- શ્લોકાર્થઃ– [एकः अपि] આત્મા એક છે તોપણ [व्यवहारेण] વ્યવહાર- દ્રષ્ટિથી જોઈએ તો [क्रिस्वभावत्वात्] ત્રણ-સ્વભાવપણાને લીધે [मेचकः] અનેકાકારરૂપ (‘મેચક’) છે, [दर्शन–ज्ञान–चारित्रैः क्रिभिः परिणतत्वतः] કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર-એ ત્રણ ભાવે પરિણમે છે.
ભાવાર્થઃ– શુદ્ધદ્રવ્યાર્થિક નયે આત્મા એક છે; આ નયને પ્રધાન કરી કહેવામાં આવે ત્યારે પર્યાયાર્થિક નય ગૌણ થયો તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો. એમ વ્યવહારનયે આત્માને દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ પરિણામોને લીધે ‘મેચક’ કહૃાો છે. ૧૭.
હવે પરમાર્થનયથી કહે છેઃ-
શ્લોકાર્થઃ– [परमार्थेन तु] શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો [व्यक्तज्ञातृत्व–ज्योतिषा] પ્રગટ જ્ઞાયક્તાજ્યોતિમાત્રથી [एककः] આત્મા એકસ્વરૂપ છે [सर्व–भावान्तर–