૬] [સમયસાર પ્રવચન
दर्शनज्ञानचारित्रैः साध्यसिद्धिर्न चान्यथा।। १९ ।।
__________________________________________________ ध्वंसि–स्वभावत्वात्] કારણ કે શુદ્ધદ્રવ્યાર્થિક નયથી સર્વ અન્યદ્રવ્યના સ્વભાવો તથા અન્યના નિમિત્તથી થતા વિભાવોને દૂર કરવારૂપ તેનો સ્વભાવ છે, [अमेचकः] તેથી તે ‘અમેચક’ છે-શુદ્ધ એકાકાર છે.
ભાવાર્થઃ– ભેદદ્રષ્ટિને ગૌણ કરી અભેદદ્રષ્ટિથી જોવામાં આવે તો આત્મા એકાકાર જ છે, તે જ અમેચક છે. ૧૮.
આત્માને પ્રમાણ-નયથી મેચક, અમેચક કહૃાો, તે ચિંતાને મટાડી જેમ સાધ્યની સિદ્ધિ થાય તેમ કરવું એમ હવે કહે છેઃ-
શ્લોકાર્થઃ– [आत्मनः] આ આત્મા [मेचक–अमेचकत्वयोः] મેચક છે-ભેદરૂપ અનેકાકાર છે તથા અમેચક છે-અભેદરૂપ એકાકાર છે [चिन्तया एव अलं] એવી ચિંતાથી તો બસ થાઓ. [साध्यसिद्धिः] સાધ્ય આત્માની સિદ્ધિ તો [दर्शन–ज्ञान– चारित्रैः] દર્શન, જ્ઞાન ને ચારિત્ર-એ ત્રણ ભાવોથી જ છે, [न च अन्यथा] બીજી રીતે નથી (એ નિયમ છે).
ભાવાર્થઃ– આત્માના શુદ્ધ સ્વભાવની સાક્ષાત્ પ્રાપ્તિ અથવા સર્વથા મોક્ષ તે સાધ્ય છે. આત્મા મેચક છે કે અમેચક છે એવા વિચારો જ માત્ર કર્યા કરવાથી તે સાધ્ય સિદ્ધ થતું નથી; પરંતુ દર્શન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું અવલોકન, જ્ઞાન અર્થાત્ શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું અને ચારિત્ર અર્થાત્ શુદ્ધ સ્વભાવમાં સ્થિરતા-તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે. આ જ મોક્ષમાર્ગ છે, તે સિવાય બીજો કોઈ મોક્ષમાર્ગ નથી.
વ્યવહારી લોકો પર્યાયમાં-ભેદમાં સમજે છે તેથી અહીં જ્ઞાન, દર્શન, ચારિત્રના ભેદથી સમજાવ્યું છે. ૧૯.
૧૪ મી ગાથામાં સમ્યગ્દર્શનનો અધિકાર અને ૧પ મી ગાથામાં સમ્યગ્જ્ઞાનનો અધિકાર કહ્યો. હવે અહીં ગાથા ૧૬ માં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ સાધકભાવની વાત કરે છેઃ-
સદા