Pravachan Ratnakar (Gujarati). Gatha: 291.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2865 of 4199

 

ગાથા–૨૯૧
जह बंधे चिंतंतो बंधणबद्धो ण पावदि विमोक्खं।
तह बंधे चिंतंतो जीवो वि ण पावदि विमोक्खं।। २९१।।
यथा बन्धांश्चिन्तयन् बन्धनबद्धो न प्राप्नोति विमोक्षम्।
तथा बन्धांश्चिन्तयन् जीवोऽपि न प्राप्नोति विमोक्षम्।। २९१।।

બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે કહે છેઃ-

બંધન મહીં જે બદ્ધ તે નહિ બંધચિંતાથી છૂટે,
ત્યમ જીવ પણ બંધો તણી ચિંતા કર્યાથી નવ છૂટે. ૨૯૧.

ગાથાર્થઃ– [यथा] જેમ [बन्धनबद्धः] બંધનથી બંધાયેલો પુરુષ [बन्धान् चिन्तयन्] બંધોના વિચાર કરવાથી [विमोक्षम् न प्राप्नोति] મોક્ષ પામતો નથી (અર્થાત્ બંધથી છૂટતો નથી), [तथा] તેમ [जीवः अपि] જીવ પણ [बन्धान् चिन्तयन्] બંધોના વિચાર કરવાથી [विमोक्षम् न प्राप्नोति] મોક્ષ પામતો નથી.

ટીકાઃ– ‘બંધ સંબંધી વિચારશૃંખલા મોક્ષનું કારણ છે’ એમ બીજા કેટલાક કહે છે, તે પણ અસત્ છે; કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારની શૃંખલા મોક્ષનું કારણ નથી, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચારશૃંખલા (-વિચારની પરંપરા) બંધથી છૂટવાનું કારણ નથી તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધ સંબંધી વિચારશૃંખલા કમૃબંધથી છૂટવાનું કારણ નથી. આથી (-આ કથનથી), કર્મબંધ સંબંધી વિચારશૃંખલાત્મક વિશુદ્ધ (-શુભ) ધર્મધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે.

ભાવાર્થઃ– કર્મબંધની ચિંતામાં મન લાગ્યું રહે તોપણ મોક્ષ થતો નથી. એ તો ધર્મધ્યાનરૂપ શુભ પરિણામ છે. જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીં ઉપદેશ છે કે-શુભ પરિણામથી મોક્ષ થતો નથી.