Pravachan Ratnakar (Gujarati). Gatha: 292.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2866 of 4199

 

ગાથા–૨૯૨

कस्तर्हि मोक्षहेतुरिति चेत्–

जह बंधे छेत्तूण य बंधणबद्धो दु पावदि विमोक्खं।
तह बंधे छेत्तूण य जीवो संपावदि विमोक्खं।। २९२।।
यथा बन्धांरिछत्वा च बन्धनबद्धस्तु प्राप्नोति विमोक्षम्।
तथा बन्धांरिछत्वा च जीवः सम्प्राप्नोति विमोक्षम्।। २९२।।

“(જો બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી) તો મોક્ષનું કારણ કયું છે?” એમ પૂછવામાં આવતાં હવે મોક્ષનો ઉપાય કહે છેઃ-

બંધન મહીં જે બદ્ધ તે નર બંધછેદનથી છૂટે,
ત્યમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. ૨૯૨.

ગાથાર્થઃ– [यथा च] જેમ [बन्धनबद्धः तु] બંધનથી બંધાયેલો પુરુષ [बन्धान् छित्वा] બંધોને છેદીને [विमोक्षम् प्राप्नोति] મોક્ષ પામે છે, [तथा च] તેમ [जीवः] જીવ [बन्धान् छित्वा] બંધોને છેદીને [विमोक्षम् सम्प्राप्नोति] મોક્ષ પામે છે.

ટીકાઃ– કર્મથી બંધાયેલાને બંધનો છેદ મોક્ષનું કારણ છે, કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલાને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધનો છેદ કર્મબંધથી છૂટવાનું કારણ છે. આથી (-આ કથનથી), પૂર્વે કહેલા બન્નેને (-જેઓ બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી સંતુષ્ટ છે તેમને અને જેઓ બંધના વિચાર કર્યા કરે છે તેમને-) આત્મા અને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા પ્રત્યે લગાડવામાં-જોડવામાં-ઉદ્યમ કરાવવામાં આવે છે).

*
સમયસાર ગાથા ૨૯૨ઃ મથાળું

જો બંધના સ્વરૂપના જ્ઞાનમાત્રથી પણ મોક્ષ નથી અને બંધના વિચાર કરવાથી પણ મોક્ષ નથી તો મોક્ષનું કારણ કયું છે? એમ પૂછવામાં આવતાં હવે મોક્ષનો ઉપાય કહે છેઃ-