Pravachan Ratnakar (Gujarati). Gatha: 293.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2870 of 4199

 

ગાથા–૨૯૩

किमयमेव मोक्षहेतुरिति चेत्–

बंधाणं च सहावं वियाणिदुं अप्पणो सहावं च।
बंधेसु जो विरज्जदि सो कम्मविमोक्खणं कुणदि।। २९३।।
बन्धानां च स्वभावं विज्ञायात्मनः स्वभावं च।
बन्धेषु यो विरज्यते स कर्मविमोक्षणं करोति।। २९३।।

‘માત્ર આ જ (અર્થાત્ બંધનો છેદ જ) મોક્ષનું કારણ કેમ છે?’ એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ-

બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો,
જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો! ૨૯૩.

ગાથાર્થઃ– [बन्धानां स्वभावं च] બંધોના સ્વભાવને [आत्मनः स्वभावं च] અને આત્માના સ્વભાવને [विज्ञाय] જાણીને [बन्धेषु] બંધો પ્રત્યે [यः] જે [विरज्यते] વિરક્ત થાય છે, [सः] તે [कर्मविमोक्षणं करोति] કર્મોથી મુકાય છે.

ટીકાઃ– જે, નિર્વિકારચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને (આત્માના સ્વભાવને) અને તેને (અર્થાત્ આત્માને) વિકાર કરનારા એવા બંધોના સ્વભાવને જાણીને, બંધોથી વિરમે છે, તે જ સર્વ કર્મોથી મુકાય છે. આથી (-આ કથનથી), આત્મા અને બંધનું દ્વિધાકરણ જ મોક્ષનું કારણ છે એવો નિયમ કરવામાં આવે છે (અર્થાત્ આત્મા અને બંધને જુદા જુદા કરવા તે જ મોક્ષનું કારણ છે એમ નક્કી કરવામાં આવે છે).

* * *
સમયસાર ગાથાઃ ૨૯૩ મથાળું

માત્ર આ જ (અર્થાત્ બંધનો છેદ જ) મોક્ષનું કારણ કેમ છે? જુઓ આ શિષ્યનો પ્રશ્ન! એમ કે રાગ અને આત્માને જુદા પાડવા એ એક જ મોક્ષનું કારણ કેમ છે? એમ પૂછવામાં આવતાં હવે તેનો ઉત્તર કહે છેઃ-

* ગાથા ૨૯૩ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જે, નિર્વિકાર ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને અને તેને (અર્થાત્ આત્માને)