સમયસાર ગાથા ૩૦૪-૩૦પ ] [ ૪૮૭
અહા! આવી વાત! તો કેટલા કહે છે કે આ વાતો તો બધી ચોથા આરાના જીવો માટે છે. પણ ભાઈ! એમ નથી. અહા! સમયસાર શાસ્ત્ર તો પંચમ આરાના મુનિએ પંચમ આરાના જીવોના કલ્યાણ અર્થે બનાવ્યું છે. કોઈ વળી કહે છે કે-આ શાસ્ત્ર તો છઠ્ઠા ગુણસ્થાનવર્તી મુનિને માટે છે; તો એ વાત પણ યથાર્થ નથી. કેમકે જે અજ્ઞાની અપ્રતિબદ્ધ છે તેને સમજાવવા માટે આ શાસ્ત્ર કુંદકુંદાચાર્યદેવે રચ્યું છે. (જુઓ ગાથા ર૩, ર૪, રપ).
અહા! ચોથે ગુણસ્થાનકે વર્તતો સમ્યગ્દ્રષ્ટિ જીવ અંતરંગમાં એવો દ્રઢ નિશ્ચય કરે છે કે-આ ઉપયોગલક્ષણ એક શુદ્ધ આત્મા જ હું છું. લૌકિકમાં જેને ધર્મ માને છે તે શુભરાગ મારું લક્ષણ નહિ. લૌકિકમાં ગમે તે માનો, રાગાદિ ભાવો કદીય મારા છે જ નહિ; હું તો પરમ પવિત્ર શુદ્ધ એક ઉપયોગલક્ષણ જીવ છું. અહા! આવાં આત્માનાં જ્ઞાનશ્રદ્ધાન સહિત ધર્મી પુરુષ સદાય (આત્માની) આરાધનાપૂર્વક વર્તે છે. અહા! દ્રષ્ટિના વિષયમાં જેને પોતાનો પૂરણ પરમેશ્વર પ્રભુ આત્મા વર્તે છે તે જીવ આરાધક છે. તેને જ આત્માનું સેવન કરનાર સાધક કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગમય જ હું છું-એમ જેને અંતરંગમાં દ્રઢ શ્રદ્ધાન થયું છે તે સદાય આરાધક છે. ભાઈ! કોઈવાર દ્રવ્યનો આશ્રય અને કોઈવાર રાગનો આશ્રય હોય એવું ધર્મીનું સ્વરૂપ નથી. ધર્મીને તો નિરંતર એક શુદ્ધ આત્મદ્રવ્યનો જ આશ્રય હોય છે.
પ્રશ્નઃ– તો શું વ્રત, તપ, ભક્તિ, પૂજા ઈત્યાદિ ધર્મીને હોતાં જ નથી? ઉત્તરઃ– કોણ કહે છે કે હોતાં નથી? ધર્મીને એ બધા ભાવો હોય છે, પણ એ શુભરાગ છે, અપરાધ છે; ધર્મ નહિ. ધર્મીને જે રાગ હોય છે તેને તે જાણે જ છે; તેને મન તે જાણવાલાયક છે; પણ આદરવાલાયક છે એમ નહિ.
ભાઈ! આત્માની એક સમયની અવસ્થામાં હિંસા, જૂઠ, ચોરી, વિષય-વાસના આદિ જે અશુભરાગ થાય છે તે પાપ છે; અને દયા, દાન, વ્રતાદિનો જે શુભરાગ થાય છે તે પણ નિશ્ચયથી પાપ જ છે. બહુ આકરી વાત ભાઈ! પણ વાત એમ જ છે. (યથાર્થ જ છે) યોગસારમાં આચાર્ય યોગીન્દ્રદેવ કહે છે-
ભાઈ! એક ઉપયોગમય શુદ્ધ આત્મા જ હું છું એવું યથાર્થ શ્રદ્ધાન થયા વિના જ્ઞાન ને આચરણ કયાંથી આવે? એ સિવાયનું બધું (ક્રિયાકાંડ) તો થોથાં છે.
અરે! આ જિંદગી એમ ને એમ ચાલી જાય છે હોં. અરેરે! રાગની દ્રષ્ટિમાં વર્તવાવાળો જીવ ક્યાં જશે? ભાઈ! આ જડ દેહ તો બળી ને ખાખ થઈ જશે. એની તો ખાખ જ થાય ને? પણ જીવ ક્યાં જશે? અહા! જેણે રાગ ને પુણ્ય ભાવ ને