Pravachan Ratnakar (Gujarati). Kalash: 188-189.

< Previous Page   Next Page >


PDF/HTML Page 2978 of 4199

 

૪૯૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

अतो हताः प्रमादिनो गताः सुखासीनतां
प्रलीनं चापलमुन्मूलितमालम्बनम्।
आत्मन्येवालानितं च चित्त–
मासम्पूर्णविज्ञानघनोपलब्धेः ।।
१८८।।
(वसन्ततिलका)
यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं
तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्।
तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोडधः
किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।।
१८९।।
હવે આ કથનના કળશરૂપે કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ–
[अतः] આ કથનથી, [सुख–आसीनतां गताः] સુખે બેઠેલા (અર્થાત્

એશઆરામ કરતા) [प्रमादिनः] પ્રમાદી જીવોને [हताः] હત કહ્યા છે (અર્થાત્ મોક્ષના તદ્ન અનધિકારી કહ્યા છે), [चापलम् प्रलीनम्] ચાપલ્યનો (-વિચાર વિનાના કાર્યનો) પ્રલય કર્યો છે (અર્થાત્ આત્મભાન વિનાની ક્રિયાઓને મોક્ષના કારણમાં ગણી નથી), [आलम्बनम् उन्मूलितम्] આલબંનને ઉખેડી નાખ્યું છે (અર્થાત્ સમ્યગ્દ્રષ્ટિના દ્રવ્યપ્રતિક્રમણ વગેરેને પણ નિશ્ચયથી બંધનું કારણ ગણીને હેય કહ્યાં છે), [आसम्पूर्ण– विज्ञान–घन–उपलब्धेः] જ્યાં સુધી સંપૂર્ણ વિજ્ઞાનઘન આત્માની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી [आत्मनि एव चितम् आलानितं च] (શુદ્ધ) આત્મારૂપી થાંભલે જ ચિત્તને બાંધ્યું છે (- વ્યવહારના આલંબનથી અનેક પ્રવૃત્તિઓમાં ચિત્ત ભમતું હતું તેને શુદ્ધ ચૈતન્યમાત્ર આત્મામાં જ લગાડવાનું કહ્યું છે કારણ કે તે જ મોક્ષનું કારણ છે). ૧૮૮.

અહીં નિશ્ચયનયથી પ્રતિક્રમણાંદિકને વિષકુંભ કહ્યાં અને અપ્રતિક્રમણાદિકને અમૃતકુંભ કહ્યાં તેથી કોઈ ઊલટું સમજી પ્રતિક્રમણાદિકને છોડી પ્રમાદી થાય તો તેને સમજાવવાને કળશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [यत्र प्रतिक्रमणम् एव विषं प्रणीतं] (અરે! ભાઈ,) જ્યાં પ્રતિક્રમણને જ વિષ કહ્યું છે, [तत्र अप्रतिक्रमणम् एव सुधा कुतः स्यात्] ત્યાં અપ્રતિક્રમણ અમૃત ક્યાંથી હોય? (અર્થાત્ ન જ હોય.) [तत्] તો પછી [जनः अधः अधः प्रपतन् किं प्रमाद्यति] માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? [निष्प्रमादः] નિષ્પ્રમાદી થયા થકા [ऊर्ध्वम् ऊर्ध्वम् किं न अधिरोहति] ઊંચે ઊંચે કાં ચડતા નથી?

ભાવાર્થઃ– અજ્ઞાનાવસ્થામાં જે અપ્રતિક્રમણાદિક હોય છે તેમની તો વાત જ શી? અહીં તો, શુભપ્રવૃત્તિરૂપ દ્રવ્યપ્રતિક્રમણાદિનો પક્ષ છોડાવવા માટે તેમને