ગાથા-૧૬] [ ૧૭ ત્રિકાળી સ્વભાવ છે તેની અપેક્ષાઓ, પર્યાય હોવાથી પર્યાયાર્થિકનયનો-વ્યવહારનયનો વિષય હોવાથી મેચક-મલિન કહ્યાં છે.
પ્રવચનસારમાં ૪૬ મા અશુદ્ધનયમાં એમ કહ્યું કે વસ્તુને પર્યાયથી જાણે એ અશુદ્ધનય છે. જેમ માટીને વાસણની પર્યાયથી જોવી એ અશુદ્ધનય છે અને માટીને માટીરૂપે જોવી એ શુદ્ધનય છે; તેમ ભગવાન આત્માને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની નિર્મળ પર્યાયથી જોવો એ અશુદ્ધ છે. એને અહીં મલિન, વ્યવહાર અને અનેકાકાર કહેલ છે, કારણ કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર-ત્રણેનો સ્વભાવ જુદો જુદો છે અને ભગવાન આત્માનો સ્વભાવ એકરૂપ છે. અહાહા! આ તો વીતરાગ માર્ગ છે, બાપુ! જેને (વાણીને) ઇન્દ્રો અને ગણધરો સાંભળે અને જે વાણી અંતરમાં આત્માને બતાવે તે કેવી હોય? (અદ્ભુત અસાધારણ હોય) ભાઈ! અહીં ભગવાનની એ વાણીની આ વાત છે કે વસ્તુ એક જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયકમાત્ર એકસ્વભાવી છે તેને એકસ્વભાવીની દ્રષ્ટિથી જુઓ તો એ નિશ્ચય છે, એકસ્વભાવી છે, નિર્મળ છે, અભેદ છે. એ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ છે. અને તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિથી જુઓ તો એ અનેકાકાર છે, મલિન છે, ભેદ છે, વ્યવહાર છે.
હવે કહે છે-‘તેથી એકને ત્રણરૂપ પરિણમતો કહેવો તે વ્યવહાર થયો, અસત્યાર્થ પણ થયો.’ કેમકે ૧૧મી ગાથામાં ત્રિકાળી જ્ઞાયકને સત્યાર્થ કહ્યો છે. ૧૧ મી ગાથા તો જૈનદર્શનનો પ્રાણ છે. “ववहारोऽभूयत्थो...” પર્યાયમાત્ર અસત્યાર્થ છે. વળી કેટલાક એમ કહે છે કે અભૂતાર્થને અસત્યાર્થ ન કહો, “જયસેનાચાર્યે પણ અભૂતનો અર્થ અસત્યાર્થ કર્યો છે. અરે! માણસ પોતાની દ્રષ્ટિ પોષવા માટે સારાય શાસ્ત્રના અર્થ બદલી નાખે છે. પરંતુ વસ્તુ તો જેવી છે તેવી જ રહેશે. ભલે તમે બદલાઈ જાઓ, પણ વસ્તુ નહિ બદલાઈ જાય. આચાર્ય ભગવાન કહે છે કે (૧૧ મી ગાથામાં) “भूयत्थो देसिदो दु सुद्धणओ” ત્રિકાળી એકરૂપ જે ચીજ તે સત્યાર્થ છે. તેને ત્રણરૂપ પરિણમન કરતો કહેવો એ વ્યવહાર થયો. એ ત્રિકાળીની અપેક્ષાએ ત્રિકાળ ટક્તી ચીજ નથી તેથી ગૌણ કરીને અસત્યાર્થ કહેવામાં આવ્યો છે.
સમયસાર કળશટીકાકાર પંડિત રાજમલજી પાંડેએ ૧૬ મા કળશમાં લીધું છે કે “आत्मा मेचकः (આત્મા) ચેતન દ્રવ્ય (મેચક) મલિન છે. કોની અપેક્ષાએ મલિન છે? दर्शन–ज्ञान–चारित्रैस्त्रित्वात् સામાન્યપણે અર્થગ્રાહકશક્તિનું નામ દર્શન છે, વિશેષપણે અર્થ-ગ્રાહકશક્તિનું નામ જ્ઞાન છે અને શુદ્ધત્વશક્તિનું નામ ચારિત્ર છે-આમ શક્તિભેદ કરતાં એક જીવ ત્રણ પ્રકારે થાય છે, તેથી મલિન કહેવાનો વ્યવહાર છે.”
પંડિત બનારસીદાસે પંડિત રાજમલજી પાંડેની કળશટીકા ઉપરથી સમયસાર નાટક