૧૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ બનાવ્યું છે. તેમાં ૧૯ મો શ્લોક હવે આવશે. તેના ઉપરથી (જીવદ્વાર) ૨૦ મા છંદમાં કહ્યું છે કેઃ-
સમલ વિમલ ન વિચારિયે, યહૈ સિદ્ધિ નહિ ઔર.”
(એક દેખિયે જાનિયે) એટલે એક વસ્તુ ત્રિકાળ ભગવાન પૂર્ણાનંદને અવલોકવો, તે એકને જાણવો, (રમિ રહિયે ઇક ઠૌર) અને તે એક સ્થાનમાં રમણતા કરવી. (સમલ વિમલ ન વિચારિયે) નિશ્ચયથી અભેદ અને વ્યવહારથી ભેદ એવો વિકલ્પ કરવો નહીં. (યહૈ સિદ્ધિ નહિ ઔર) આ મુક્તિના ઉપાયની રીત છે. બીજી કોઈ રીત નથી. હજુ તો જ્ઞાનનાં ઠેકાણાં ન મળે તેને શ્રદ્ધા અને જ્ઞાન સમ્યક્ કયાંથી થાય?
હવે પરમાર્થ નયથી કહે છેઃ-
અહાહા! શું કળશ! અમૃતથી ભરેલો છે. અમૃતચંદ્રાચાર્ય ૧૦૦૦ વર્ષ પહેલાં થયા અને તેના ૧૦૦૦ વર્ષ પહેલાં એટલે આજથી ર૦૦૦ વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય થયા. મદ્રાસની આ બાજુ ૮૦ માઈલ દૂર વંદેવાસ ગામ છે. ૧૦, ૦૦૦ ની વસ્તીવાળું છે. ત્યાંથી પાંચ માઈલ દૂર પોન્નૂર હીલ નામની ટેકરી છે. ત્યાં કુંદકુંદાચાર્ય રહેતા હતા. તેઓ આત્માનુભવી ભાવલિંગી મુનિ હતા. ત્યાંથી પૂર્વ વિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન પાસે ગયા હતા. અને ત્યાંથી આવીને આ શાસ્ત્રો રચ્યાં છે. આ સાક્ષાત્ ભગવાનની વાણી છે. ભાઈ! આ વાણી બીજે કયાંય નથી. એની (સમયસાર શાસ્ત્રની) ટીકા કરનાર અમૃતચંદ્રાચાર્ય ૧૦૦૦ વર્ષ પછી પાકયા. તે ભાવલિંગી દિગંબર સંત મુનિ હતા. જાણે ચાલતા સિદ્ધ! અંતર-આનંદનો ઢગલો! અંદર અતીન્દ્રિય આનંદનો પ્રવાહ વહેતો હતો. તેમણે આ ટીકા બનાવી છે.
કહે છેઃ-‘परमार्थेन तु’ શુદ્ધ એક અભેદ આત્મા જેનો વિષય છે એવા શુદ્ધ નિશ્ચયનયથી જોવામાં આવે તો ‘व्यक्तज्ञातृत्व–ज्योतिषा’ પ્રગટ જ્ઞાયક્તાજ્યોતિમાત્રથી ‘एककः’ આત્મા એકસ્વરૂપ છે. જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન એ જ્ઞાનસૂર્ય ચૈતન્યની ઝળહળ જ્યોતિ છે. અહાહા! ભાષા જુઓ. આત્મા પ્રગટ જ્ઞાયક્તા જ્યોતિમાત્ર છે. અહીં ‘વ્યક્ત’ શબ્દ છે ને? ભગવાન આત્માને વ્યક્ત-પ્રગટ કહ્યો છે. ૪૯ મી ગાથામાં ભગવાન આત્માને અવ્યક્ત કહ્યો છે. ત્યાં તો પર્યાયને વ્યક્ત કહી એ અપેક્ષાએ ત્રિકાળીને અવ્યક્ત કહ્યો, પરંતુ અહીં ત્રિકાળી વસ્તુ વ્યક્ત-પ્રગટ જ છે એમ કહે છે.
ત્યાં ગાથા ૪૯ માં અવ્યક્ત કહ્યો. અહીં કહે છે કે આત્મા પ્રગટ-વ્યક્ત છે. વસ્તુ પ્રગટ ચૈતન્યજ્યોત છે. પ્રગટ કેવી છે? તો જ્ઞાયક્તા જ્યોતિમાત્ર એટલે ચૈતન્ય જ્ઞાયકસ્વભાવ