પ૦૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
न्नित्योद्योतस्फुटितसहजावस्थमेकान्तशुद्धम् ।
एकाकारस्वरसभरतोऽत्यन्तगम्भीरधीरं
पूर्ण ज्ञानं ज्वलितमचले स्वस्य लीनं महिम्नि।। १९२।।
ખરેખર અશુદ્ધતા કરનારું જે પરદ્રવ્ય તે સર્વને છોડીને [स्वयं स्वद्रव्ये रतिम् एति] પોતે પોતાના સ્વદ્રવ્યમાં લીન થાય છે, [सः] તે પુરુષ [नियतम्] નિયમથી [सर्व–अपराध– च्युतः] સર્વ અપરાધોથી રહિત થયો થકો, [बन्ध–ध्वंसम् उपेत्य नित्यम् उदितः] બંધના નાશને પામીને નિત્ય-ઉદિત (સદા પ્રકાશમાન) થયો થકો, [स्व–ज्योतिः–अच्छ– उच्छलत्–चैतन्य–अमृत–पूर–पूर्ण–महिमा] સ્વજ્યોતિથી (પોતાના સ્વરૂપના પ્રકાશથી) નિર્મળપણે ઊછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ તેના વડે પૂર્ણ જેનો મહિમા છે એવો [शुद्धः भवन्] શુદ્ધ થતો થકો, [मुच्यते] કર્મોથી છૂટે છે-મુક્ત થાય છે.
ભાવાર્થઃ– જે પુરુષ, પહેલાં સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ કરી નિજ દ્રવ્યમાં (આત્મસ્વરૂપમાં) લીન થાય છે, તે પુરુષ સર્વ રાગાદિક અપરાધોથી રહિત થઈ આગામી બંધનો નાશ કરે છે અને નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામી, શુદ્ધ થઈ, સર્વ કર્મનો નાશ કરી, મોક્ષને પામે છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે. ૧૯૧.
હવે મોક્ષ અધિકાર પૂર્ણ કરતાં તેના અંતમંગળરૂપે પૂર્ણ જ્ઞાનના મહિમાનું (સર્વથા શુદ્ધ થયેલા આત્મદ્રવ્યના મહિમાનું) કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [बन्धच्छेदात् अतुलम् अक्षय्यम् मोक्षम् कलयत्] કર્મબંધના છેદથી અતુલ અક્ષય (અવિનાશી) મોક્ષને અનુભવતું, [नित्य–उद्योत–स्फुटित–सहज– अवस्थम्] નિત્ય ઉદ્યોતવાળી (જેનો પ્રકાશ નિત્ય છે એવી) સહજ અવસ્થા જેની ખીલી નીકળી છે એવું, [एकान्त–शुद्धम्] એકાંતશુદ્ધ (-કર્મનો મેલ નહિ રહેવાથી જે અત્યંત શુદ્ધ થયું છે એવું), અને [एकाकार–स्व–रस–भरतः अत्यन्त–गम्भीर–धीरम्] એકાકાર (એક જ્ઞાનમાત્ર આકારે પરિણમેલા) નિજરસની અતિશયતાથી જે અત્યંત ગંભીર અને ધીર છે એવું [एतत् पूर्ण ज्ञानम्] આ પૂર્ણ જ્ઞાન [ज्वलितम्] જળહળી ઊઠયું (સર્વથા શુદ્ધ આત્મદ્રવ્ય જાજ્વલ્યમાન પ્રગટ થયું); [स्वस्य अचले महिम्नि लीनम्] પોતાના અચળ મહિમામાં લીન થયું.
ભાવાર્થઃ– કર્મનો નાશ કરી મોક્ષને અનુભવતું, પોતાની સ્વાભાવિક અવસ્થારૂપ, અત્યંત શુદ્ધ, સમસ્ત જ્ઞેયાકારોને ગૌણ કરતું, અત્યંત ગંભીર (જેનો પાર નથી એવું)