Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3002 of 4199

 

પ૨૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

‘અજ્ઞાનીનું નહિ’ -એમ કહ્યું ને? એનો અર્થ એ કે અપ્રતિક્રમણાદિ જે અમૃતકુંભ કહ્યાં તે અજ્ઞાનીના અપ્રતિક્રમણાદિ ન જાણવાં, પણ એ તો શુદ્ધ આત્મસ્વરૂપ જ્ઞાનીનાં અપ્રતિક્રમણાદિની વાત છે. જેને સમ્યગ્દર્શન નથી એવા અજ્ઞાનીના અશુભભાવ (તીવ્રરાગ) રહિત જે તેને શુભભાવ છે તે અપ્રતિક્રમણ છે; આ તે નહિ એમ કહે છે. આ તો જ્ઞાનીને જે શુભભાવ હોય છે તેને છોડીને અંદર અંતર-અવલંબનની સ્થિરતામાં જામી જાય છે તે અપ્રતિક્રમણાદિ અમૃતકુંભ છે એમ વાત છે. અહા! આ તો જ્ઞાનીને શુદ્ધ આત્મામય ત્રીજી ભૂમિ છે તેને અહીં અમૃતકુંભ કહી છે. સમજાણું કાંઈ.....?

નિશ્ચયદ્રષ્ટિમાં શુભ-અશુભ બેય બંધનાં કારણ છે. બેય હેય છે. એવા ભાનપૂર્વક જે શુભ આવે તેને છોડી શુદ્ધ નિશ્ચયસ્વરૂપમાં લીન-સ્થિર થવું તેને અહીં અપ્રતિક્રમણાદિ કહ્યાં છે અને તે શુદ્ધ આત્મામય હોવાથી અમૃતકુંભ છે એમ વાત છે. આવી ગંભીર વાત છે.

*

હવે આ અર્થને દ્રઢ કરતું કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૯૦ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘कषाय–भर–गौरवात् अलसता प्रमादः’ કષાયના ભાર વડે ભારે હોવાથી આળસુપણું તે પ્રમાદ છે;... ...

શું કીધું આ? કે પંચમહાવ્રતના પરિણામ અને બાર વ્રતના વિકલ્પ એ પ્રમાદ છે. અંતઃસ્થિરતા નથી એ અપેક્ષાએ તે પ્રમાદ છે.

જોયું? ‘કષાયના ભાર વડે ભારે’ - એમ કહ્યું ને! મતલબ કે પંચમહાવ્રતાદિના પરિણામ એ કષાયનો ભાર છે. જેમ ગાડું ઘાસથી ભર્યું હોય તે ભાર છે તેમ પંચમહાવ્રતાદિના પરિણામ કષાયનો ભાર છે. બહુ આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે. અહીં કહે છે-કષાયનો ભાર પોતે આળસ છે, પ્રમાદ છે. સ્વરૂપમાં સાવધાની સ્થિરતા નથી એ બધો પ્રમાદ છે. અહા! બહારમાં કોઈ જિનમંદિર બંધાવે ને પ્રતિમા પધરાવે ને મોટું દાન કરે ને પ્રભાવના કરે-અહીં કહે છે-એ બધું કષાયના ભારથી ભારેપણું હોવાથી પ્રમાદ છે. ગજબ વાત છે ભાઈ! આ ધંધા-પાણીમાં બહું હોશથી રોકાવું એ તો પ્રમાદ છે જ, પણ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિમાં હોંશ કરે એ પણ પ્રમાદ છે. એ રાગ છે ને? સ્વરૂપમાં લીનતા નથી તેથી પ્રમાદ છે. આવી વાત છે!

‘यतः प्रमादकलितः अलसः शुद्धभावः कथं भवति’ તેથી એ પ્રમાદયુક્ત આળસભાવ શુદ્ધભાવ કેમ હોઈ શકે?

અહા! શુદ્ધ ચૈતન્યરસથી ભરેલો પોતે ભગવાન છે એના આશ્રયમાં ન જતાં અશુભની પ્રવૃત્તિમાં હોશથી બહુ હોંશથી હરખ કરીને કાળ ગાળે એ તો પાપી છે. તે પ્રમાદથી