Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3006 of 4199

 

પ૨૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮

‘ખરેખર એટલે નિશ્ચયથી અશુદ્ધતા કરનારું જે પરદ્રવ્ય...’ , અહા! શૈલી તો જુઓ! સ્ત્રી-પુત્ર-પરિવાર હો કે દેવ-ગુરુ-શાસ્ત્ર હો-એ બધાં પરદ્રવ્ય અશુદ્ધતાનાં નિમિત્ત-કારણો છે. અહા! એ પરદ્રવ્ય તરફના વલણને છોડીને, સ્વદ્રવ્યમાં સ્વયં રતિ પામે, અશુદ્ધતાની-વ્યવહારની અપેક્ષા છોડી સ્વયં સ્વદ્રવ્યમાં લીનતા પામે ત્યારે તેને ધર્મ ને મુક્તિ થાય છે.

બીજે તો દયા પાળો, ને દાન કરો ને તપ કરો-એમ પ્રરૂપણા ચાલે છે; પણ બાપુ! એ તો બધો પરભાવ છે ભાઈ! એ કાંઈ અમૃત નથી. આવે છે ને કે-

“ગગનમંડળમાં ગૌઆ વિહાણી, વસુધા દૂધ જમાયા;
માખણ થા સો વિરલા રે પાયા, છાશે જગત ભરમાયા.”

અહા! ગગનમંડળમાં ભગવાનની ૐ ધ્વનિ થઈ, ભગવાન ગણધરદેવે તેને બાર અંગમાં સંઘરી. તેમાં માખણ જે સાર સાર વસ્તુ શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્મા તેનો અનુભવ ને પ્રતીતિ કોઈક વિરલ જીવો પામ્યા, ને જગત તો આખું છાશમાં એટલે દયા, દાન, આદિ પુણ્યમાં ભરમાઈ પડયું. ભાઈ! એ દયા, દાન, આદિ પુણ્યના ભાવ અમૃત નથી. અહાહાહા...!

“ગગનમંડલમેં અધબીચ કુઆ, વહાં હૈ અમીકા વાસા;
સુગુરા હોય સો ભરભર પીએ, નગુરા જાવૈ પ્યાસા.”

અહા! આકાશની મધ્યમાં લોકમાં અમૃતનું સ્થાન ભગવાન આત્મા છે. અહાહા...! આત્મા ચિદાનંદરસના અમૃતથી પૂરણ ભરેલું ભિન્ન તત્ત્વ છે. જેઓ સદ્ગુરુના ઉપદેશને પામી, અંર્તદ્રષ્ટિ કરી, અંતર્લીન થયા તેઓ અમૃતને ધરાઈ ને પીએ છે, પણ જેઓ નગુરા છે તેઓ બિચારા અતીન્દ્રિય અમૃતને પામતા નથી, તરસ્યા જ રહે છે.

જુઓ, અશુદ્ધતાનું નિમિત્ત પરદ્રવ્ય છે. તેથી સર્વ પરદ્રવ્યનું લક્ષ છોડીને જે પુરુષ સ્વદ્રવ્યમાં લીન થાય છે ‘सः’ તે પુરુષ ‘नियतम्’ નિયમથી ‘सर्व–अपराध–च्युतः’ સર્વ અપરાધથી રહિત થયો થકો, ‘बन्ध–ध्वसं उपेत्य नित्यम् उदितः’ બંધના નાશને પામીને નિત્ય-ઉદિત થયો થકો, ‘स्वज्योतिः–अच्छ–उच्छलत्–चैतन्य–अमृत–पूर–पूर्ण–महिमा’ સ્વજ્યોતિથી નિર્મળપણે ઉછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ તેના વડે પૂર્ણ જેનો મહિમા છે એવો ‘शुद्धः भवन्’ શુદ્ધ થતો થકો, ‘मुच्यते’ કર્મોથી છૂટે છે, મુક્ત થાય છે.

ભાઈ! પરદ્રવ્યના વલણવાળી વૃત્તિ અશુદ્ધ છે, અપરાધ છે, બંધરૂપછે. તેને છોડીને જે સ્વસ્વરૂપમાં લીન થાય છે તે સર્વ અપરાધથી રહિત થાય છે અને તે બંધને પામતો નથી. લ્યો, આવું! પણ એને હવે આ બેસે કેવી રીતે? પોતાના સ્વતત્ત્વની ખબર નથી ને એમ ને એમ ભ્રમણાના કુવામાં ભમી રહ્યો છે. એને એમ કે ગિરનાર