Pravachan Ratnakar (Gujarati). Gatha: 319.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3103 of 4199

 

ગાથા–૩૧૯
ण वि कुव्वइ ण वि वेयइ णाणी कम्माइं बहुपयाराइं।
जाणइ पुण कम्मफलं बंधं पुण्णं च पावं च।। ३१९।।
नापि करोति नापि वेदयते ज्ञानी कर्माणि बहुप्रकाराणि।
जानाति पुनः कर्मफलं बन्धं पुण्यं च पापं च।।
३१९।।
હવે આ જ અર્થને ફરી દ્રઢ કરે છેઃ-
કરતો નથી, નથી વેદતો જ્ઞાની કરમ બહુવિધને,
બસ જાણતો એ બંધ તેમ જ કર્મફળ શુભ–અશુભને. ૩૧૯
ગાથાર્થઃ– [ज्ञानी] જ્ઞાની [बहुप्रकाराणि] બહુ પ્રકારનાં [कर्माणि] કર્મોને [न

अपि करोति] કરતો પણ નથી, [न अपि वेदयते] વેદતો (ભોગવતો) પણ નથી; [पुनः] પરંતુ [पुण्यं च पापं च] પુણ્ય અને પાપરૂપ [बन्धं] કર્મબંધને [कर्मफलं] તથા કર્મફળને [जानाति] જાણે છે.

ટીકાઃ– કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળ-ચેતના

રહિત હોવાને લીધે પોતે અવેદક (-અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો (-ભોગવતો) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે.

*
સમયસાર ગાથા ૩૧૯ઃ મથાળું
હવે આ જ અર્થને ફરી દ્રઢ કરે છેઃ-
* ગાથા ૩૧૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘કર્મચેતના રહિત હોવાને લીધે પોતે અકર્તા હોવાથી, અને કર્મફળચેતના રહિત હોવાને લીધે પોતે અવેદક (-અભોક્તા) હોવાથી, જ્ઞાની કર્મને કરતો નથી તેમ જ વેદતો (-ભોગવતો) નથી; પરંતુ જ્ઞાનચેતનામય હોવાને લીધે કેવળ જ્ઞાતા જ હોવાથી, શુભ અથવા અશુભ કર્મબંધને તથા કર્મફળને કેવળ જાણે જ છે.’

જેમાં રાગનું ચેતવું થાય છે, જ્ઞાનનું ચેતવું નથી તે કર્મચેતના છે. આ હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભરાગ ને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભરાગનું જે ચેતવું છે તે કર્મચેતના છે. એક વાર સાંભળ ભાઈ! અહીં કહે છે-જ્ઞાની કર્મ-ચેતના રહિત છે અને તેથી અકર્તા છે.

શું કીધું? કે આત્મા જ્ઞાનનો સાગર પ્રભુ છે. તેનો જેને અંતરમાં અનુભવ