સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૬૩
અર્થાત્ હે યોગી! પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી અને બંધ- મોક્ષ કરતો નથી-એમ શ્રી જિનવર કહે છે.”
લ્યો, શ્રી યોગેન્દ્રદેવ શિષ્ય પ્રતિ કહે છે-હે યોગી! પરમાર્થે જીવ ઉપજતો પણ નથી, મરતો પણ નથી. અહાહા....! વસ્તુ ત્રિકાળી શુદ્ધદ્રવ્ય જે છે તે આ નરકગતિ, મનુષ્યગતિ, સિદ્ધગતિ... ઇત્યાદિ પર્યાયમાં પરમાર્થે ઉપજતો નથી, તેમ મરતો પણ નથી. ગંભીર સૂક્ષ્મ વાત છે ભાઈ! પાસે પુસ્તક છે ને! જુઓ, એમાં છે કે નહિ?
અહાહા...! કહે છે-ખરેખર આત્મા એને કહીએ જે એક સમયની પર્યાયપણે ઉપજતો નથી, વિણશતો પણ નથી. નિયમસારની ગાથા ૩૮ માં કહ્યું છે કે-ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવમાત્ર-શુદ્ધપારિણામિકભાવમાત્ર વસ્તુ જે છે તે જ ખરેખર આત્મા છે. પર્યાયરૂપ આત્મા એ તો વ્યવહાર આત્મા છે, ત્રિકાળીની અપેક્ષા એ અભૂતાર્થ-અસત્યાર્થ છે. આવી વાત છે! જે ઉપજે છે, વિણશે છે તે પર્યાય-આત્મા અભૂતાર્થ છે. અહો! આ તો અલૌકિક વાત છે!
ભાઈ! ગણધર ભગવાનનાં રચેલાં શાસ્ત્ર કેવાં હોય? અહા! કેવળી પરમાત્માના શ્રીમુખેથી જે ઓમ્ધ્વનિ નીકળી તેને સાંભળીને ચાર જ્ઞાનના ધરનારા શ્રી ગણધરદેવ અંતર્મુહૂર્તમાં બાર અંગ ને ચૌદ પૂર્વની રચના કરે છે. અહા! તે ચીજ કેવી હોય! ભાઈ! એ કાંઈ લૌકિક વાર્તા ન હોય. અહા! તેમાં આ કહે છે કે-નિત્ય ધ્રુવ એક ચિન્માત્ર વસ્તુને અમે આત્મા કહીએ છીએ. આવો આત્મા એક સમયની પર્યાયમાં આવતો નથી. મોક્ષમાર્ગ કે મોક્ષની એક સમયની પર્યાયપણે ત્રિકાળી ધ્રુવ જે અંતઃતત્ત્વ આત્મા છે તે ઉપજતો નથી, વિણશતો નથી. તે પણે પર્યાય ઉપજે છે, પણ શુદ્ધ જીવ ઉપજતો નથી.
હવે આવી વાત કદીય સાંભળી ન હોય એટલે કોઈને એમ લાગે કે શું જૈનનો માર્ગ આવો હશે? વળી કોઈને આ સાંભળીને વેદાંત જેવું લાગે, પણ વેદાંત વગેરેમાં તો આ વાત છે જ નહિ. આત્મા એકાંતે નિત્ય એક સર્વવ્યાપક માને એ તો ગૃહીત મિથ્યાદર્શન છે ભાઈ! વેદાંતાદિવાળા પર્યાયને ક્યાં માને છે? અનંત આત્માઓને ક્યાં માને છે? અનંત પરમાણુઓને ક્યાં માને છે? અનંત ગુણોને ક્યાં માને છે? ભાઈ! એમાં મૂળ વસ્તુ-સ્વરૂપની વાત જ ક્યાં છે? તને વેદાંત જેવું લાગે, પણ બાપુ! વેદાંતમાં અને જૈનમાં મોટો (આસમાન-જમીનનો) ફરક છે.
જીવ પરમાર્થથી ઉપજતો નથી, મરતો પણ નથી. તો આ ઉપજે-વિણસે છે તે કોણ છે? તો કહે છે-ઉપજવું-વિણસવું જેમાં થાય છે તે પર્યાય છે. અહા! પ્રત્યેક