Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3240 of 4199

 

સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ ] [ ૨૨૧

અહાહા...! અંદર વસ્તુ ત્રિકાળ એકરૂપ ચિદ્રૂપ છે તેને અભેદદ્રષ્ટિ વડે જોઈએ તો તે શુદ્ધચેતનામાત્ર જ છે, પરંતુ જ્યારે તે કર્મના નિમિત્તે પરિણમે છે ત્યારે તે વિકારી વિભાવરૂપ પરિણામોથી યુક્ત થાય છે અને ત્યારે પરિણામ-પરિણામીની ભેદદ્રષ્ટિમાં પોતાના અજ્ઞાનભાવરૂપ પરિણામોનો કર્તા જીવ પોતે જ થાય છે. આ પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ થયા તે પરિણામ અને જીવ પરિણામી-એમ ભેદદ્રષ્ટિમાં પોતાના વિકારી ભાવોનો કર્તા જીવ જ છે.

‘અભેદદ્રષ્ટિમાં તો કર્તાકર્મભાવ જ નથી, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે.’ અહાહા...! ભગવાન ચિદાનંદ ચૈતન્યસ્વરૂપની જ્યાં અભેદદ્રષ્ટિ થઈ ત્યાં તે નિજ ચૈતન્યસ્વરૂપમાં એકાકાર થયો, રાગથી ભિન્ન પડી ગયો અને તેથી ત્યાં કર્તાકર્મભાવ રહ્યો જ નહિ. સમજાય છે કાંઈ...? ભાઈ! અભેદદ્રષ્ટિમાં રાગાદિ વિકાર છે જ નહિ, શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે. અહાહા...! સમ્યગ્દર્શનનો વિષય શુદ્ધચેતનામાત્ર જીવવસ્તુ છે, ભેદ કે પર્યાય સમ્યગ્દર્શનનો વિષય નથી.

હવે સરવાળો કરી કહે છે કે- ‘આ પ્રમાણે યથાર્થ પ્રકારે સમજવું કે ચેતનકર્મનો કર્તા ચેતન જ છે.’ લ્યો, વિકારી પરિણામોનો કર્તા જીવ જ છે, કર્મને લઈને વિકાર થાય છે એમ કદીય નથી. અહા! આવી સ્વતંત્રતાને સ્વીકારી બીજેથી દ્રષ્ટિ હઠાવી, દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ કરવી એ આનું તાત્પર્ય છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૨૦૩ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘कर्म कार्यत्वात् अकृतं न’ कर्म (અર્થાત્ ભાવકર્મ) છે તે કાર્ય છે, માટે તે અકૃત હોય નહિ અર્થાત્ કોઈએ કર્યા વિના થાય નહિ..... .... .

શું કીધું? આ પુણ્ય-પાપ આદિ ભાવકર્મ છે તે કાર્ય છે, અને કાર્ય છે માટે તે અકૃત (અકૃત્રિમ) હોય નહિ. કોઈએ કર્યા વિના હોય નહિ. હવે આમાં અન્યમતવાળા કહે કે ઈશ્વર હોય તો કાર્ય થાય અને જૈનમતવાળા કોઈ કહે કે જડકર્મને લઈને કાર્ય થાય, આમ બન્નેમાં વિપરીત-ઊંધું ચાલ્યું છે. પણ અહીં શું કહે છે? જુઓ-

‘च’ વળી ‘तत् जीव–प्रकृत्योः द्वयो कृतिः न’ તે (ભાવકર્મ) જીવ અને પ્રકૃતિ બન્નેની કૃતિ હોય એમ નથી, ‘अज्ञायाः प्रकृतेः स्व–कार्य–फल–भुगू–भाव–अनुषङ्गात्’ કારણ કે જો તે બન્નેનું કાર્ય હોય તો જ્ઞાનરહિત (જડ) એવી પ્રકૃતિને પણ પોતાના કાર્યનું ફળ ભોગવવાનો પ્રસંગ આવે.

શું કીધું આ? કે પુણ્ય-પાપ આદિ વિકારી ભાવ જે થાય તે જીવ અને જડ-