સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨૪૧ બૌદ્ધમતી તો) [इदम् आत्मतत्त्वं क्षणिकम् कल्पयित्वा] આ આત્મતત્ત્વને ક્ષણિક કલ્પીને [निज–मनसि] પોતાના મનમાં [कर्तृ–भोक्त्रोः विभेदं विधत्ते] કર્તા અને ભોક્તાનો ભેદ કરે છે (-અન્ય કર્તા છે અને અન્ય ભોક્તા છે એવું માને છે); [तस्य विमोहं] તેના મોહને (અજ્ઞાનને) [अयम् चित्–चमत्कारः एव स्वयम्] આ ચૈતન્યચમત્કાર જ પોતે [नित्य–अमृत–ओधैः] નિત્યતારૂપ અમૃતના ઓઘ (-સમૂહો) વડે [अभिषिञ्चन्] અભિસિંચન કરતો થકો, [अपहरति] દૂર કરે છે.
હતો તે બીજી ક્ષણે નથી-એમ માને છે. આચાર્યદેવ કહે છે કે-અમે તેને શું સમજાવીએ? આ ચૈતન્ય જ તેનું અજ્ઞાન દૂર કરશે-કે જે (ચૈતન્ય) અનુભવગોચર નિત્ય છે. પહેલી ક્ષણે જે આત્મા હતો તે જ બીજી ક્ષણે કહે છે કે ‘હું પહેલાં હતો તે જ છું’; આવું સ્મરણપૂર્વક પ્રત્યભિજ્ઞાન આત્માની નિત્યતા બતાવે છે. અહીં બૌદ્ધમતી કહે છે કે- ‘જે પહેલી ક્ષણે હતો તે જ હું બીજી ક્ષણે છું’ એવું માનવું તે તો અનાદિ અવિદ્યાથી ભ્રમ છે; એ ભ્રમ મટે ત્યારે તત્ત્વ સિદ્ધ થાય, સમસ્ત કલેશ મટે. તેનો ઉત્તર આપવામાં આવે છે કે-“હે બૌદ્ધ! તું આ જે દલીલ કરે છે તે આખી દલીલ કરનાર એક જ આત્મા છે કે અનેક આત્માઓ છે? વળી તારી આખી દલીલ એક જ આત્મા સાંભળે છે એમ માનીને તું દલીલ કરે છે કે આખી દલીલ પૂરી થતાં સુધીમાં અનેક આત્માઓ પલટાઈ જાય છે એમ માનીને દલીલ કરે છે? જો અનેક આત્માઓ પલટાઈ જતા હોય તો તારી આખી દલીલ તો કોઈ આત્મા સાંભળતો નથી; તો પછી દલીલ કરવાનું પ્રયોજન શું? * આમ અનેક રીતે વિચારી જોતાં તને જણાશે કે આત્માને ક્ષણિક માનીને પ્રત્યભિજ્ઞાનને ભ્રમ કહી દેવો તે યથાર્થ નથી. માટે એમ સમજવું કે-આત્માને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવો તે બન્ને ભ્રમ છે, વસ્તુસ્વરૂપ નથી; અમે (જૈનો) કથંચિત્ નિત્યાનિત્યાત્મક વસ્તુસ્વરૂપ કહીએ છીએ તે જ સત્યાર્થ છે.” ૨૦૬.
ફરી, ક્ષણિકવાદને યુક્તિ વડે નિષેધતું, આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ- _________________________________________________________________ * જો એમ કહેવામાં આવે કે ‘આત્મા તો નાશ પામે છે પણ તે સંસ્કાર મૂક્તો જાય છે’ તો તે પણ
સંસ્કાર મૂક્તો જાય, તોપણ તે આત્માના સંસ્કાર બીજા આત્મામાં પેસી જાય એવો નિયમ
ન્યાયસંગત નથી.