પ૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨
मचलितमनुभूतिं ये स्वतो वान्यतो वा।
प्रतिफलननिमग्नानन्तभावस्वभावै–
र्मुकुरवदविकाराः सन्ततं स्युस्त एव।। २१ ।।
__________________________________________________ પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને પરને જાણનારી જ્ઞાતૃતા (જ્ઞાતાપણું) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદવિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે ત્યારે જ (આત્મા) પ્રતિબુદ્ધ થશે.
ભાવાર્થઃ– જેમ સ્પર્શાદિમાં પુદ્ગલનો અને પુદ્ગલમાં સ્પર્શાદિનો અનુભવ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ અનુભવાય છે, તેમ જ્યાં સુધી આત્માને, કર્મ-નોકર્મમાં આત્માની અને આત્મામાં કર્મ-નોકર્મની ભ્રાંતિ થાય છે અર્થાત્ બન્ને એકરૂપ ભાસે છે, ત્યાં સુધી તો તે અપ્રતિબુદ્ધ છે; અને જ્યારે તે એમ જાણે કે આત્મા તો જ્ઞાતા જ છે અને કર્મ-નોકર્મ પુદ્ગલનાં જ છે ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે. જેમ અરીસામાં અગ્નિની જ્વાળા દેખાય ત્યાં એમ જણાય છે કે “જ્વાળા તો અગ્નિમાં જ છે, અરીસામાં નથી પેઠી, અરીસામાં દેખાઈ રહી છે તે અરીસાની સ્વચ્છતા જ છે”; તે પ્રમાણે “કર્મ-નોકર્મ પોતાના આત્મામાં નથી પેઠાં; આત્માની જ્ઞાન-સ્વચ્છતા એવી જ છે કે જેમાં જ્ઞેયનું પ્રતિબિંબ દેખાય; એ રીતે કર્મ-નોકર્મ જ્ઞેય છે તે પ્રતિભાસે છે”-એવો ભેદજ્ઞાનરૂપ અનુભવ આત્માને કાં તો સ્વયમેવ થાય અથવા ઉપદેશથી થાય ત્યારે જ તે પ્રતિબુદ્ધ થાય છે.
હવે, આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-
શ્લોકાર્થઃ– [ये] જે પુરુષો [स्वतः वा अन्यतः वा] પોતાથી જ અથવા પરના ઉપદેશથી [कथम् अपि हि] કોઈ પણ પ્રકારે [भेदविज्ञानमूलाम्] ભેદવિજ્ઞાન જેનું મૂળ ઉત્પત્તિકારણ છે એવી [अचलितम्] અવિચળ (નિશ્ચળ) [अनुभूतिम्] પોતાના આત્માની અનુભૂતિને [लभन्ते] પામે છે, [ते एव] તે જ પુરુષો [मुकुरवत्] દર્પણની જેમ [प्रतिफलन–निमग्न–अनन्त–भाव–स्वभावैः] પોતામાં પ્રતિબિંબિત થયેલા અનંત ભાવોના સ્વભાવોથી [सन्ततं] નિરંતર [अविकाराः] વિકારરહિત [स्युः] હોય છે, - જ્ઞાનમાં જે જ્ઞેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. ર૧.