સમયસાર ગાથા ૩૪૯ થી ૩પપ ] [ ૩૩પ
નથી, ‘तेन खलु वस्तु तत् वस्तु’ તેથી ખરેખર વસ્તુ છે તે વસ્તુ જ છે- ‘अयम् निश्चयः’ એ નિશ્ચય છે.......
‘આ લોકમાં એક વસ્તુ અન્યવસ્તુની નથી. શું કીધું આ? કે જગતમાં અનંતા વસ્તુ નામ દ્રવ્યો છે, અનંત આત્મા અને અનંતાનંત પુદ્ગલ પરમાણુઓ ઇત્યાદિ છે. અહીં કહે છે-
-એક આત્મા બીજા આત્માનો નથી, -એક આત્મા (અન્ય) જડ પરમાણુનો નથી, -એક પરમાણુ અન્ય પરમાણુનો નથી અને -એક પરમાણુ (અન્ય) આત્માનો નથી. એટલે શું? કે-એક આત્મા બીજા આત્માનું કાંઈ કરતો નથી, -આત્મા જડ પરમાણુનું કાંઈ કરતો નથી, -જડ પરમાણુ અન્ય પરમાણુનું કાંઈ કરતો નથી અને -જડ પરમાણુ આત્માનું કાંઈ કરતો નથી. આવી વાત! પ્રવચનસાર, ગાથા ૧૦૨ માં આવે છે કે-પ્રત્યેક દ્રવ્યની પ્રતિસમય જે પર્યાય નવી નવી ઉત્પન્ન થાય છે તે તેની જન્મક્ષણ છે. એટલે શું? કે દ્રવ્યમાં જે કાળે જે પર્યાય ઉત્પન્ન થવાયોગ્ય હોય તે કાળે તે જ પર્યાય દ્રવ્યમાં પ્રગટ થાય છે; તેમાં અન્ય કોઈ કાંઈ ફેરફાર કરી શકે નહિ; અર્થાત્ અન્ય દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી શકે નહિ.
આત્માને ધર્મની દશા પામવાનો કાળ છે ત્યારે તે ધર્મ પામે છે, તે તેની જન્મક્ષણ છે. કાર્યનો પોતાનો સ્વકાળ છે અને ત્યારે તે સહજ જ પ્રગટ થાય છે, કોઈ પરને-નિમિત્તને લઈને થાય છે એમ નથી. આમ વાત તો સીધી-સાદી છે બાપુ! એનો ભાવ તો જે છે તે છે. એના ભાવને જાણ્યા વિના લોકો તો આંધળે-બહેરું કૂટે રાખે છે; એમ કે કર્મ-નિમિત્ત ન હોય તો ન થાય. પણ અહીં તો આ ચોકખું કહે છે કે વસ્તુ છે તે વસ્તુ જ છે; અર્થાત્ આત્મા વસ્તુ છે તેની પર્યાય થાય તે પોતાથી જ થાય, તે પર્યાયને બીજો કોઈ કરે એમ માનવું તે મોટો ભ્રમ છે. ભગવાન આત્મા પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયથી વિરાજમાન છે, તેમાં નવી નવી