Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3377 of 4199

 

૩પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ થશે, આત્મજ્ઞાન નહિ થાય. ભેદના લક્ષમાં તું રોકાઇ રહે એ તો વિપરીતતા છે, મિથ્યાત્વ છે ભાઈ! આવી વાત!

તો પરમાર્થ શું છે? જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે, પરમાર્થ છે. હું જ્ઞાયક જ છું એમ અભેદદ્રષ્ટિ થવી એ સમ્યગ્દર્શન છે અને એ સૌ પ્રથમ ધર્મ છે. આ સિવાયના ક્રિયાકાંડ બધા થોથેથોથાં છે, અસત્યાર્થ છે, હિતરૂપ નથી.

આ રીતે અહીં એમ બતાવ્યું કેઃ- ૧. આત્મા પરદ્રવ્યને જાણે છે-એ વ્યવહારકથન છે, ૨. આત્મા પોતાને જાણે છે-એમ કહેવામાં પણ સ્વ-સ્વામીઅંશરૂપ વ્યવહાર છે. ૩. જ્ઞાયક જ્ઞાયક જ છે-એ નિશ્ચય છે. ‘વળી (જેવી રીતે જ્ઞાયક વિષે દ્રષ્ટાંત-દર્ષ્ટાંતથી કહ્યું) એવી જ રીતે દર્શક વિષે કહેવામાં આવે છેઃ

આ જગતમાં ખડી છે તે શ્વેતગુણથી ભરેલા સ્વભાવવાળું દ્રવ્ય છે. ભીંત-આદિ પરદ્રવ્ય વ્યવહારે તે ખડીનું શ્વેત્ય છે (અર્થાત્ ખડી વડે શ્વેત કરવાયોગ્ય પદાર્થ છે. હવે, શ્વેત કરનારી ખડી, શ્વેત કરાવાયોગ્ય જે ભીંત-આદિ પરદ્રવ્ય તેની છે કે નથી? - એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ- જો ખડી ભીંત-આદિ પરદ્રવ્યની હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ

જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છેઃ- આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ખડી જો ભીંત-આદિની હોય તો ખડી તે ભીંત- આદિ જ હોય (અર્થાત્ ખડી ભીંત-આદિસ્વરૂપ જ હોવી જોઈએ); એમ હોતાં, ખડીના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી, કારણ કે એક દ્રવ્યનું અન્ય દ્રવ્યરૂપે સંક્રમણ થવાનો તો પૂર્વ જ નિષેધ કર્યો છે. માટે (એ સિદ્ધ થયું કે) ખડી ભીંત- આદિની નથી.’ હવે કહે છે-

(આગળ વિચારીએઃ) ‘જો ખડી ભીંત-આદિની નથી તો ખડી કોની છે? ખડીની જ ખડી છે. (આ) ખડીથી જુદી એવી બીજી કઈ ખડી છે કે જેની (આ) ખડી છે? (આ) ખડીથી જુદી અન્ય કોઈ ખડી નથી, પરંતુ તેઓ બે સ્વ-સ્વામીરૂપ અંશો જ છે. અહીં સ્વ-સ્વામીરૂપ અંશોના વ્યવહારથી શું સાધ્ય છે? કાંઈ સાધ્ય નથી. તો પછી ખડી કોઈની નથી, ખડી ખડી જ છે- એ નિશ્ચય છે’

‘જેમ આ દ્રષ્ટાંત છે, તેમ આ (નીચે પ્રમાણે) દાર્ષ્ટાંત છેઃ-