૩૬૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ દેખે છે તો દેખનારો તે, દ્રશ્ય વસ્તુનો છે કે નથી? જો દેખનારો દ્રશ્ય એવી પરવસ્તુનો હોય તો તે પરવસ્તુરૂપ જ હોય, કેમકે જેનું જે હોય તે તે જ હોય-આ ન્યાય છે. આ પ્રમાણે દેખનારો દ્રશ્ય વસ્તુનો હોય તો દેખનાર સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય. પણ એમ થવું સંભવિત નથી.
અહાહા....! દર્શન (શ્રદ્ધાન) નામના ત્રિકાળી ગુણથી આત્મા પૂરણ ભરેલો છે. ત્યાં તે પરને શ્રદ્ધે છે તો પોતારૂપ-દર્શનરૂપ રહીને શ્રદ્ધે છે કે પરરૂપ થઈને શ્રદ્ધે છે? પોતારૂપ રહીને શ્રદ્ધે છે; અહીં કહે છે-જો પરનો થઈને એટલે કે પરરૂપ થઈને શ્રદ્ધે તો આત્મા પરસ્વરૂપ જ થઈ જાય, અને તો તે દર્શનરૂપ સ્વદ્રવ્યનો ઉચ્છેદ થઈ જાય. પણ દ્રવ્યનો ઉચ્છેદ કદીય થતો નથી, કેમકે દ્રવ્યનું દ્રવ્યાંતરરૂપે સંક્રમણ થવાનો પૂર્વે જ ગાથા ૧૦૩ માં નિષેધ કર્યો છે. માટે, કહે છે, એમ સિદ્ધ થયું કે દર્શક એવો ચેતયિતા પરનો- પુદ્ગલાદિનો નથી.
મુદની બે વાતઃ
૧. આત્મા દર્શનગુણના સ્વભાવથી ભરેલો ભગવાન છે; અને
૨. જે દ્રશ્ય બાહ્ય પદાર્થ છે તે દર્શનગુણથી ખાલી પદાર્થ છે. ભાઈ! જ્યાં તું (- દર્શક) છો ત્યાં દ્રશ્ય પદાર્થ નથી અને જ્યાં દ્રશ્ય પદાર્થ છે ત્યાં તું (-દર્શક) નથી. એટલે કે દ્રશ્ય પદાર્થને દેખવાથી દ્રષ્ટાસ્વભાવ પ્રગટ થતો નથી. હવે ભાગ્યશાળી હોય તેના કાને પડે એવી આ વાત છે. આ દયા, દાન, વ્રત આદિ વ્યવહારરત્નત્રયના પરિણામ છે ને? અહીં કહે છે-એ વ્યવહારરત્નત્રયના પરિણામનું શ્રદ્ધાન કરવાથી અંદર દ્રષ્ટાસ્વભાવ પ્રગટ થતો નથી.
તો સાત તત્ત્વનું શ્રદ્ધાન કરવું સમ્યગ્દર્શન કહ્યું છે ને?
બાપુ! દ્રશ્ય એવાં એ સાત તત્ત્વ તેને ચેતયિતા-આત્મા દેખે-શ્રદ્ધે છે એમ કહીએ એ વ્યવહારનયથી છે, ઉપચારથી છે. બાકી સાત તત્ત્વના ભેદરૂપ શ્રદ્ધાનમાં દર્શકના ગુણનો તો અભાવ છે. શું કીધું? વ્યવહારરત્નત્રયના પરિણામમાં દર્શક ગુણનો અભાવ છે. અહાહા....! દર્શનગુણથી ભરેલો ચેતયિતા પ્રભુ વ્યવહારરત્નત્રયના રાગને દેખે-શ્રદ્ધે છે એમ કહીએ તે વ્યવહાર છે, ઉપચાર છે. આવી વાત!
ભાઈ! શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર અને વ્યવહારરત્નત્રયનો રાગ ઇત્યાદિ સર્વ પરદ્રવ્યરૂપ છે. તેને ચેતયિતા દેખે-શ્રદ્ધે છે એમ કહીએ તે વ્યવહાર છે. અહાહા....! દર્શક એવો આત્મા તે તે પદાર્થોને દેખવાકાળે દ્રશ્યરૂપ થઈને દેખે છે કે પોતારૂપ-દર્શકરૂપ રહીને દેખે છે? પોતારૂપ રહીને દેખે છે. જો દ્રશ્યરૂપ-પરદ્રવ્યરૂપ