Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 344 of 4199

 

ગાથા ૨૦-૨૧-૨૨ ] [ ૬૩

(मालिनी)
त्यजतु जगदिदानीं मोहमाजन्मलीढं
रसयतु रसिकानां रोचनं ज्ञानमुद्यत्।
इह कथमपि नात्मानात्मना साकमेकः
किल कलयति काले कापि तादात्म्यवृत्तिम्।। २२ ।।

__________________________________________________

ભાવાર્થઃ– જે પરદ્રવ્યમાં આત્માનો વિકલ્પ કરે છે તે તો અજ્ઞાની છે અને જે પોતાના આત્માને જ પોતાનો માને છે તે જ્ઞાની છે-એમ અગ્નિ-ઇન્ધનના દ્રષ્ટાંત દ્વારા દ્રઢ કર્યું છે.

હવે આ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છેઃ-

શ્લોકાર્થઃ– [जगत्] જગત અર્થાત્ જગતના જીવો [आजन्मलीढं मोहम्] અનાદિ સંસારથી માંડીને આજ સુધી અનુભવ કરેલા મોહને [इदानीं त्यजतु] હવે તો છોડો અને [रसिकानां रोचनं] રસિક જનોને રુચિકર, [उद्यत् ज्ञानम्] ઉદ્રય થઈ રહેલું જે જ્ઞાન તેને [रसयतु] આસ્વાદો; કારણ કે [इह] આ લોકમાં [आत्मा] આત્મા છે તે [किल] ખરેખર [कथम् अपि] કોઈ પ્રકારે [अनात्मना साकम्] અનાત્મા (પરદ્રવ્ય) સાથે [क्व अपि काले] કોઈ કાળે પણ [तादात्म्यवृत्तिम् कलयति न] તાદ્રાત્મ્યવૃત્તિ (એકપણું) પામતો નથી, કેમ કે [एकः] આત્મા એક છે તે અન્ય દ્રવ્ય સાથે એક્તારૂપ થતો નથી.

ભાવાર્થઃ– આત્મા પરદ્રવ્ય સાથે કોઈ પ્રકારે કોઈ કાળે એકતાના ભાવને પામતો નથી. એ રીતે આચાર્યે, અનાદિથી પરદ્રવ્ય પ્રત્યે લાગેલો જે મોહ છે તેનું ભેદવિજ્ઞાન બતાવ્યું છે અને પ્રેરણા કરી છે કે એ એકપણારૂપ મોહને હવે છોડો અને જ્ઞાનને આસ્વાદો; મોહ છે તે વૃથા છે, જૂઠો છે, દુઃખનું કારણ છે. ૨૨. ઉપોદ્ઘાતઃ–

હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે એ અપ્રતિબુદ્ધ કઈ રીતે ઓળખાય એનું ચિહ્ન બતાવો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ-

ટીકાઃ– (દ્રષ્ટાંતથી સમજાવે છે) જેમ કોઈ પુરુષ ઇંધન અને અગ્નિને મળેલાં દેખી એવો જૂઠો વિકલ્પ કરે કે-“અગ્નિ છે તે ઇંધન છે, ઇંધન છે તે અગ્નિ છે; અગ્નિનું ઇંધન છે, ઇંધનનો અગ્નિ છે; અગ્નિનું ઇંધન પહેલાં હતું, ઇંધનનો અગ્નિ પહેલાં હતો; અગ્નિનું ઇંધન ભવિષ્યમાં થશે, ઇંધનનો અગ્નિ ભવિષ્યમાં થશે;”-આવો ઇંધનમાં જ અગ્નિનો વિકલ્પ કરે તે જૂઠો છે, તેનાથી અપ્રતિબુદ્ધ-‘લૌકિક મૂર્ખ’ કોઈ ઓળખાય છે.