Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3574 of 4199

 

સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ઃ ૧૨૩

મારી છે એમ તે માનતો નથી. અહીં એથી વિશેષ વાત છે કે ભવિષ્યમાં હું સમસ્ત કર્મ કરીશ નહિ, કરાવીશ નહિ, અનુમોદીશ નહિ-મનથી, વચનથી ને કાયાથી -એમ ધર્માત્મા સર્વ કર્મથી છૂટો પડી સ્વસન્મુખતા દ્વારા શુદ્ધોપયોગરૂપ પરિણમનમાં સ્થિર થાય છે, સ્વસ્વરૂપમાં જ ઉપયોગને રમાવે છે. આનું નામ પચખાણ છે, ચારિત્ર છે, સ્વસ્વરૂપમાં ચરવું, રમવું, ઠરવું એનું નામ ચારિત્ર છે.

અરે! અનાદિથી એ અવળે રસ્તે ચઢી ગયો છે. તે પંચમહાવ્રતના ને શરીરની નગ્નદશાના પરિણામને ચારિત્ર માની શુભ રાગના સેવનમાં-આચરણમાં ચઢી ગયો છે. પરંતુ ભાઈ! જેમ અશુભ રાગ અશુચિ છે તેમ શુભરાગ પણ અશુચિ જ છે, જેમ અશુભ ભાવ દુઃખરૂપ છે તેમ શુભભાવ પણ આકુળતારૂપ જ છે. એક શુદ્ધોપયોગરૂપ પરિણામ જ પવિત્ર અને નિરાકુળ છે. અહાહા...! આત્મા અંદર અતીન્દ્રિય આનંદનો સાગર પવિત્રતાનો પિંડ પ્રભુ છે. ઉપયોગને ત્યાં જ સ્થિર કરી તેમાં જ રમવું-ચરવું તેનું નામ પચખાણ અને ચારિત્ર છે.

જેને રાગની રુચિ છે તેને તો સમ્યગ્દર્શન જ નથી, પછી પચખાણ તો ક્યાંથી હોય? ન હોય. અહીં તો રાગથી ખસીને સ્વરૂપની રમણતામાં જોડાયેલ છે એવો જ્ઞાની પુરુષ કહે છે-ભવિષ્યના સમસ્ત શુભાશુભ કર્મને ત્યાગીને જેનો મોહ નષ્ટ થયો છે એવો હું નિષ્કર્મ ચૈતન્યસ્વરૂપમાં પોતાથી જ નિરંતર વર્તું છું. અહા! ભગવાન આત્મા સ્વરૂપથી જ નિષ્કર્મ-નિરાગ-નિર્દોષ સ્વરૂપ છે. અહીં કહે છે-એવા આત્મામાં આત્માથી જ- પોતાથી જ હું લીન રહી નિરંતર વર્તું છું. એટલે શું? કે આવી નિર્મળ શુદ્ધોપયોગરૂપ દશા વર્તે તેમાં વ્યવહારની -દયા, દાન, વ્રત આદિની કોઈ અપેક્ષા છે એમ નથી.

તો શું દયા, દાન, વ્રતાદિના પરિણામ કાંઈ જ ઉપયોગી નથી? ઉત્તરઃ– ના, કાંઈ જ ઉપયોગી નથી; શુદ્ધોપયોગરૂપ નિર્મળ પરિણતિ થવામાં તેઓ કાંઈ ઉપયોગી નથી, બલ્કે તેમ થવામાં તેમનો અભાવ જ થવો ઈષ્ટ છે. ધર્માત્માને વ્રતાદિના પરિણામ હોતા નથી એમ વાત નથી; પણ તેનો (વ્રતાદિના રાગનો) અભાવ કરીને જ તે ઉપર ઉપરની ભૂમિકાએ ચઢે છે. આવી વાત છે. સમજાણું કાંઈ....?

એ તો આવી ગયું (ગાથા ૧૭-૧૮માં) કે અજ્ઞાનીને (આબાળ-ગોપાળ સૌને) તેની જ્ઞાનની દશામાં ભગવાન આત્મા જણાય છે તોપણ તેની દ્રષ્ટિ-રુચિ જ ત્યાં હોતી નથી, તેની દ્રષ્ટિ-રુચિ દયા, દાન, વ્રત આદિના રાગમાં પડેલી હોય છે અને તેથી રાગને જ નિજ સ્વરૂપ માની અજ્ઞાની થયો થકો રાગના આચરણમાં સંતુષ્ટ રહે છે, પણ જ્ઞાનીને તે રાગની કાંઈ જ કિંમત નથી.

અરે, જુઓ તો ખરા! આઠ આઠ વરસની બાળાઓ કાંઈ પણ તત્ત્વને સમજ્યા