Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3592 of 4199

 

સમયસાર ગાથા ૩૮૭ થી ૩૮૯ઃ ૧૪૧

‘હું અપ્રત્યાખ્યાનાવરણીય માયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ - ૨૯.

‘હું પ્રત્યાખ્યાનાવરણીયમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ - ૩૦.

‘હું સંજ્વલનમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૧.

હવે લોભકષાયની ચોકડીનાં ભેદ કહે છેઃ- ‘હું અનંતાનુબંધીલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૨.

‘હું અપ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ - ૩૩.

‘હું પ્રત્યાખ્યાનાવરણીય લોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ - ૩૪.

‘હું સંજ્વલનલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩પ.

હવે નોકષાય મોહનીય કર્મની પ્રકૃતિના નવ ભેદ કહે છેઃ- ‘હું હાસ્યનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૬.

હાસ્ય, કૂતુહલ, વિસ્મય ઇત્યાદિ ભાવને હું નથી ભોગવતો, હું તો શુદ્ધ આત્મસ્વરૂપને જ ભોગવું છું.

‘હું રતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૭.

રાજી થવું, ખુશ થવું-તે રતિનોકષાયકર્મનું ફળ છે, તે તરફ મારું વલણ નથી, હું તેને ભોગવતો નથી, હું તો મારા ચૈતન્યસ્વરૂપને જ એકને વેદું છું. અહા! હું તો અંદર આનંદના અનુભવના રાજીપામાં છું. જુઓ, આ ચારિત્રવંત ધર્મી પુરુષની અંતરદશા!

‘હું અરતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૮.