‘હું અપ્રત્યાખ્યાનાવરણીય માયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ - ૨૯.
‘હું પ્રત્યાખ્યાનાવરણીયમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ - ૩૦.
‘હું સંજ્વલનમાયાકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૧.
હવે લોભકષાયની ચોકડીનાં ભેદ કહે છેઃ- ‘હું અનંતાનુબંધીલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૨.
‘હું અપ્રત્યાખ્યાનાવરણીયલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ - ૩૩.
‘હું પ્રત્યાખ્યાનાવરણીય લોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ - ૩૪.
‘હું સંજ્વલનલોભકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩પ.
હવે નોકષાય મોહનીય કર્મની પ્રકૃતિના નવ ભેદ કહે છેઃ- ‘હું હાસ્યનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૬.
હાસ્ય, કૂતુહલ, વિસ્મય ઇત્યાદિ ભાવને હું નથી ભોગવતો, હું તો શુદ્ધ આત્મસ્વરૂપને જ ભોગવું છું.
‘હું રતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૭.
રાજી થવું, ખુશ થવું-તે રતિનોકષાયકર્મનું ફળ છે, તે તરફ મારું વલણ નથી, હું તેને ભોગવતો નથી, હું તો મારા ચૈતન્યસ્વરૂપને જ એકને વેદું છું. અહા! હું તો અંદર આનંદના અનુભવના રાજીપામાં છું. જુઓ, આ ચારિત્રવંત ધર્મી પુરુષની અંતરદશા!
‘હું અરતિનોકષાયવેદનીયમોહનીયકર્મના ફળને નથી ભોગવતો, ચૈતન્યસ્વરૂપ આત્માને જ સંચેતું છું.’ -૩૮.