Pravachan Ratnakar (Gujarati). Kalash: 239.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3692 of 4199

 

સમયસાર ગાથા-૪૧૧ઃ ૨૪૧
(अनुष्टुभ्)
दर्शनज्ञानचारित्रत्रयात्मा तत्त्वमात्मनः।
एक एव सदा सेव्यो मोक्षमार्गो मुमुक्षुणा।।२३९।।
હવે આ જ અર્થને દ્રઢ કરતી આગળની ગાથાની સૂચનારૂપે શ્લોક કહે છેઃ-
શ્લોકાર્થઃ–
[आत्मनः तत्त्वम् दर्शन–ज्ञान–चारित्र–त्रय–आत्मा] આત્માનું તત્ત્વ

દર્શનજ્ઞાનચારિત્રત્રયાત્મક છે (અર્થાત્ આત્માનું યથાર્થ રૂપ દર્શન, જ્ઞાન ને ચારિત્રના ત્રિકસ્વરૂપ છે); [मुमुक्षुणा मोक्षमार्गः एकः एव सदा सेव्यः] તેથી મોક્ષના ઇચ્છક પુરુષે (આ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ) મોક્ષમાર્ગ એક જ સદા સેવવાયોગ્ય છે. ૨૩૯.

*
સમયસાર ગાથા ૪૧૧ઃ મથાળું

જો આમ છે તો આમ (નીચે પ્રમાણે) કરવું- એમ હવે ઉપદેશ કરે છેઃ- એમ કે જો દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી અને દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે તો આમ કરવું એમ ગાથામાં ઉપદેશ કરે છેઃ-

* ગાથા ૪૧૧ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘કારણ કે દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી, તેથી સમસ્ત દ્રવ્યલિંગને છોડીને દર્શન- જ્ઞાનચારિત્રમાં જ, તે (દર્શનજ્ઞાનચારિત્ર) મોક્ષમાર્ગ હોવાથી, આત્માને જોડવાયોગ્ય છે- એમ સૂત્રની અનુમતિ છે.’

અહાહા...! જુઓ, આ વીતરાગી સંત, દિગંબર મુનિવર-આચાર્ય કુંદકુંદ ને આચાર્ય અમૃતચંદ્ર પોતે ખુલાસો કરે છે કે- અમને આ જે બહારમાં નગ્નદશા અને પંચમહાવ્રતાદિ અઠ્ઠાવીસ મૂલગુણનો વિકલ્પ છે તે મોક્ષમાર્ગ નથી. આ તો મૂળ ગાથા અને ટીકામાં પોકાર છે ભાઈ! અરે પ્રભુ! આ તારા હિતની વાત છે બાપુ! દેહની નગ્નતા અને શુભરાગથી તું મોક્ષમાર્ગ માને પણ એ તો મિથ્યા શલ્ય છે બાપુ! એનાથી તારું મોટું અહિત થશે. અહા! દેહની ને રાગની ક્રિયામાં મોક્ષમાર્ગ માની ત્યાં જ તેં રમતું માંડી છે, પણ એથી તને ભારે નુકશાન છે ભાઈ! કેમકે તે મોક્ષમાર્ગ નથી.

એક સમયની પર્યાય એ તો વ્યવહાર આત્મા છે. એ પર્યાયની પાછળ પૂરણ જ્ઞાન, આનંદ, શક્તિ, પ્રભુતા, સર્વજ્ઞતા, સર્વદર્શિતા ઈત્યાદિ અનંત ગુણ-સ્વભાવથી ભરેલો ભગવાન પોતે છે તે નિશ્ચય છે. અહા! આવા આત્માને, અહીં કહે છે, નગ્નદશા અને