अथ सूत्रावतारः–
હવે મૂળગાથાસૂત્રકાર શ્રી કુંદકુંદાચાર્ય ગ્રંથના આદિમાં મંગળપૂર્વક પ્રતિજ્ઞા કરે છેઃ -
વંદી કહું શ્રુતકેવળી–ભાષિત સમયપ્રાભૃત અહો! ૧.
ગાથાર્થઃ– આચાર્ય કહે છેઃ હું [ध्रुवम] ધ્રુવ, [अचलाम्] અચળ અને [अनौपम्यां] અનુપમ-એ ત્રણ વિશેષણોથી યુક્ત [गतिं] ગતિને [प्राप्तान्] પ્રાપ્ત થયેલ એવા [सर्वसिद्धान्] સર્વ સિદ્ધોને [वंदित्वा] નમસ્કાર કરી, [अहो] અહો! [श्रुतकेवलिभणितम्] શ્રુતકેવળીઓએ કહેલા [इदं] આ [समयप्राभृतम्] સમયસાર નામના પ્રાભૃતને [वक्ष्यामि] કહીશ.
ટીકાઃ– અહીં (સંસ્કૃત ટીકામાં) ‘अथ’ શબ્દ મંગળના અર્થને સૂચવે છે. ગ્રંથના આદિમાં સર્વ સિદ્ધોને ભાવ-દ્રવ્ય સ્તુતિથી પોતાના આત્મામાં તથા પરના આત્મામાં સ્થાપીને આ સમય નામના પ્રાભૃતનું ભાવવચન અને દ્રવ્યવચનથી પરિભાષણ શરૂ કરીએ છીએ- એમ શ્રી કુંદકુંદાચાર્ય કહે છે. એ સિદ્ધ ભગવંતો, સિદ્ધપણાને લીધે, સાધ્ય જે આત્મા તેના પ્રતિચ્છંદના સ્થાને છે, - જેમના સ્વરૂપનું સંસારી ભવ્ય જીવો ચિંતવન કરીને, તે સમાન પોતાના સ્વરૂપને ધ્યાઈને, તેમના જેવા થઈ જાય છે અને ચારે ગતિઓથી વિલક્ષણ જે પંચમગતિ મોક્ષ તેને પામે છે. કેવી છે તે પંચમગતિ? સ્વભાવભાવરૂપ છે તેથી ધ્રુવપણાને અવલંબે છે. ચારે ગતિઓ પરનિમિત્તથી થતી હોવાથી ધ્રુવ નથી, વિનાશિક છે; ‘ધ્રુવ’ વિશેષણથી પંચમગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો. વળી તે ગતિ