-તેના ફળરૂપે પ્રગટ થયેલી કેવળજ્ઞાન અને મોક્ષની દશા સાદિ-અનંત છે. સમ્યગ્દર્શન થયા પછી કોઈને તે જ ભવે કેવળજ્ઞાન અને મોક્ષ થાય છે, અને કોઈને બે, પાંચ, કે પંદર ભવ સુધીમાં થાય છે, તોપણ સાધકદશાનો કાળ અસંખ્ય સમય જ છે, તેમાં અનંત સમય ન લાગે.
અહા! આત્મા અનંતગુણનો દરિયો પ્રભુ ચૈતન્યચમત્કારથી ભરિયો છે. તેનાં નિશ્ચય શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા જેને થયાં તેના સંસારનો અલ્પકાળમાં જ અંત આવીને તેને સાદિ-અનંતકાળ રહે તેવું સિદ્ધપદ પ્રાપ્ત થાય છે. અહાહા....! તેનો સંસાર અનાદિ-સાંત થઈ જાય છે ને સાદિ-અનંત સિદ્ધપદ પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ– નિશ્ચય મોક્ષમાર્ગના સેવનથી થોડા જ કાળમાં મોક્ષની પ્રાપ્તિ થાય એ નિયમ છે. જુઓ, આ કુદરતનો નિયમ કહ્યો.
‘જેઓ દ્રવ્યલિંગને જ મોક્ષમાર્ગ માની તેમાં મમત્વ રાખે છે, તેમણે સમય-સારને અર્થાત્ શુદ્ધ આત્માને જાણ્યો નથી’ - એમ હવેની ગાથામાં કહેશે; તેની સૂચનાનું કાવ્ય પ્રથમ કહે છેઃ-
‘ये तु एनं परिहृत्य संवृति–पथ–प्रस्थापितेन आत्मना द्रव्यमये लिंङ्गे ममतां वहन्ति’ જે પુરુષો આ પૂર્વોક્ત પરમાર્થસ્વરૂપ મોક્ષમાર્ગને છોડીને વ્યવહાર-મોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે (અર્થાત્ એમ માને છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષ પમાડશે), ‘ते तत्त्व–अवबोध–च्युताः अद्य अपि समयस्य सारम् न पश्यन्ति’ તે પુરુષો તત્ત્વના યથાર્થ જ્ઞાનથી રહિત વર્તતા થકા હજુ સુધી સમયના સારને (અર્થાત્ શુદ્ધ આત્માને) દેખતા-અનુભવતા નથી.
અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપ-જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે. તેની સન્મુખ થઈને તેનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણ પ્રગટ કરે તે પરમાર્થસ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ છે; અને તેને સહકારી જે વ્રતાદિનો રાગ છે તેને વ્યવહારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહીએ છીએ. અહીં કહે છે-પરમાર્થસ્વરૂપ નિશ્ચય મોક્ષમાર્ગને છોડીને જે પુરુષો વ્યવહાર મોક્ષમાર્ગમાં સ્થાપેલા પોતાના આત્મા વડે દ્રવ્યમય લિંગમાં મમતા કરે છે કે આ દ્રવ્યલિંગ જ અમને મોક્ષમાર્ગ પમાડશે તેઓ યથાર્થ તત્ત્વજ્ઞાનથી રહિત થયા થકા શુદ્ધ આત્મસ્વરૂપને પામતા નથી- અનુભવતા નથી.
ભાઈ! જેને અંતરમાં નિજસ્વરૂપનાં રુચિ-રમણતારૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો