कुव्वंति जे ममत्तिं तेहिं ण णादं समयसारं।। ४१३।।
कुर्वन्ति ये ममत्वं तैर्न ज्ञातः समयसारः।। ४१३।।
મમતા કરે, તેણે નથી જાણ્યો ‘સમયના સાર’ ને. ૪૧૩.
મુનિલિંગોમાં [गृहिलिङ्गेषु वा] અથવા ગૃહસ્થલિંગોમાં [ममत्वं कुर्वन्ति] મમતા કરે છે (અર્થાત્ આ દ્રવ્યલિંગ જ મોક્ષનું દેનાર છે એમ માને છે), [तैः समयसारः न ज्ञातः] તેમણે સમયસારને નથી જાણ્યો.
ટીકાઃ– જેઓ ખરેખર ‘હું શ્રમણ છું, હું શ્રમણોપાસક (-શ્રાવક) છું’ એમ દ્રવ્યલિંગમાં મમકાર વડે મિથ્યા અહંકાર કરે છે, તેઓ અનાદિરૂઢ (અનાદિ કાળથી ચાલ્યા આવેલા) વ્યવહારમાં મૂઢ (મોહી) વર્તતા થકા, પ્રૌઢ વિવેકવાળા નિશ્ચય (-નિશ્ચયનય) પર ૧અનારૂઢ વર્તતા થકા, પરમાર્થસત્ય (-જે પરમાર્થે સત્યાર્થ છે એવા) ભગવાન સમયસારને દેખતા-અનુભવતા નથી.
ભાવાર્થઃ– અનાદિ કાળનો પરદ્રવ્યના સંયોગથી થયેલો જે વ્યવહાર તેમાં જ જે પુરુષો મૂઢ અર્થાત્ મોહિત છે, તેઓ એમ માને છે કે ‘આ બાહ્ય મહાવ્રતાદિરૂપ ભેખ છે તે જ અમને મોક્ષ પ્રાપ્ત કરાવશે’ , પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ, શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ- _________________________________________________________________ ૧. અનારૂઢ = નહિ આરૂઢ; નહિ ચડેલા.