Pravachan Ratnakar (Gujarati). Kalash: 242-243.

< Previous Page   Next Page >


PDF/HTML Page 3721 of 4199

 

૨૭૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

(वियोगिनी)
व्यवहारविमूढद्रष्टयः परमार्थ कलयन्ति नो जनाः ।
तुषबोधविमुग्धबुद्धयः कलयन्तीह तुषं न तण्डुलम्।। २४२।।
(स्वागता)
द्रव्यलिङ्गममकारमीलितै–
र्द्रश्यते समयसार एव न
द्रव्यलिङ्गमिह यत्किलान्यतो
ज्ञानमेकमिदमेव हि स्वतः।।
२४३।।
શ્લોકાર્થઃ– [व्यवहार–विमूढ–द्रष्टयः जनाः परमार्थ नो कलयन्ति] વ્યવહારમાં જ

જેમની દ્રષ્ટિ (-બુદ્ધિ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી, [इह तुष–बोध– विमुग्ध–बुद्धयः तुषं कलयन्ति, न तण्डुलम्] જેમ જગતમાં તુષના જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે (-મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે, તંડુલને જાણતા નથી.

ભાવાર્થઃ– જેઓ ફોતરાંમાં મુગ્ધ થઈ રહ્યા છે, ફોતરાંને જ કૂટયા કરે છે, તેમણે તંડુલને જાણ્યા જ નથી; તેવી રીતે જેઓ દ્રવ્યલિંગ આદિ વ્યવહારમાં મુગ્ધ થઈ રહ્યા છે (અર્થાત્ શરીરાદિની ક્રિયામાં મમત્વ કર્યા કરે છે), તેમણે શુદ્ધાત્મઅનુભવનરૂપ પરમાર્થને જાણ્યો જ નથી; અર્થાત્ એવા જીવો શરીરાદિ પરદ્રવ્યને જ આત્મા જાણે છે, પરમાર્થ આત્માનું સ્વરૂપ તેઓ જાણતા જ નથી. ૨૪૨.

હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ- શ્લોકાર્થઃ–

[द्रव्यलिङ्ग–ममकार–मीलितैः समयसारः एव न द्रश्यते] જેઓ

દ્રવ્યલિંગમાં મમકાર વડે અંધ-વિવેકરહિત છે, તેઓ સમયસારને જ દેખતા નથી; [यत् इह द्रव्यलिङ्गम् किल अन्यतः] કારણ કે આ જગતમાં દ્રવ્યલિંગ તો ખરેખર અન્યદ્રવ્યથી થાય છે, [इदम् ज्ञानम् एव हि एकम् स्वतः] આ જ્ઞાન જ એક પોતાથી (આત્મદ્રવ્યથી) થાય છે.

ભાવાર્થઃ– જેઓ દ્રવ્યલિંગમાં મમત્વ વડે અંધ છે તેમને શુદ્ધાત્મદ્રવ્યનો અનુભવ જ નથી, કારણ કે તેઓ વ્યવહારને જ પરમાર્થ માનતા હોવાથી પરદ્રવ્યને જ આત્મદ્રવ્ય માને છે. ૨૪૩.

*

________________________________________ ૧. તુષ = ડાંગરનાં ફોતરાં; અનાજનાં ફોતરાં. ૨. તંડુલ = ફોતરાં વિનાના ચોખા; ફોતરાં વિનાનું અનાજ.