Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3762 of 4199

 

સમયસાર ગાથા-૪૧પઃ ૩૧૧

થઈ ગયું નથી, અનંતા જ્ઞેયાકારોને જ્ઞાન જાણે છે તો અનંતા જ્ઞેયાકારપણે જ્ઞાન ખંડ ખંડ થઈ જતું નથી. આ તો મૂળ મુદની વાત છે. અરે, એણે સ્વરૂપસન્મુખ થઈ નિજ અંતર- તત્ત્વને જાણ્યું નથી!

અહા! બહારના ક્રિયાકાંડ તો એ અનંતવાર કરી ચૂક્યો છે. મહાવિદેહક્ષેત્રમાં સદાય તિર્થંકર પરમાત્મા સમોસરણમાં બિરાજમાન છે. ત્યાં સમોસરણમાં જઈ એણે અનેક પ્રકારે ભગવાનની ભક્તિ-સ્તુતિ કરી છે, અને ભગવાનની વાણી અનંતવાર સાંભળી છે. પરંતુ એ તો બધી પરસન્મુખ પ્રવૃત્તિ બાપુ! અહા! એ પરસન્મુખતાથી ખસ્યો નહિ અને સ્વસન્મુખ થઈ નિજ ચૈતન્યતત્ત્વ જ્ઞાનમાત્ર વસ્તુને જાણીને અનુભવી નહિ. નિજ જ્ઞાનતત્ત્વને સ્વાભિમુખ થઈ અનુભવવી એ એક જ સાર છે-ભાઈ!

અહીં બે વાત કરીઃ ૧. આત્મા જ્ઞાનમાત્રસ્વરૂપ વસ્તુ છે. અર્થાત્ શરીર, મન, વાણી, ઈન્દ્રિય તે આત્મા નહિ, રાગાદિ વિકાર આત્મા નહિ ને અન્ય જીવ-પંચ પરમેષ્ઠી આદિય આત્મા નહિ. હા, એના સ્વરૂપમાં પંચપરમેષ્ઠી પદ શક્તિરૂપે પડેલાં છે એ બીજી વાત છે, પણ અન્ય જીવરૂપ પંચપરમેષ્ઠી તે આ આત્મા નહિ.

વળી જ્ઞાનમાત્ર વસ્તુ હોતાં સૌને-જગત આખાને જાણવાના સામર્થ્યરૂપ હોવાથી જાણે છે પણ તે કોઈ પરનો કર્તા નથી.

૨. વળી તે જ્ઞાનમાત્ર વસ્તુ અખંડ છે. એટલે શું? કે જાણવું... જાણવું.... જાણવું એ જ્ઞાનમાત્ર વસ્તુ આત્માનો સ્વભાવ છે, તો તે સ્વ-પર સૌને જાણે છે. અનંતા પર પદાર્થોને જ્ઞાન જાણે છે. તો અનંતને જાણતાં જ્ઞાન ખંડખંડ થાય છે કે નહિ? તો કહે છે- ના, જ્ઞાનમાત્ર વસ્તુનું જે તત્ત્વ-જ્ઞાનસ્વભાવ છે તે અખંડ છે. અનંત જ્ઞેયાકારોને જ્ઞાન જાણે પણ તે જ્ઞેયાકારરૂપ થઈ જતું નથી. જ્ઞાનાકારરૂપે જ રહે છે. સર્વને જાણનારું જ્ઞાન પોતે પોતાના કારણે જ જ્ઞાનાકારપણે થાય છે, જ્ઞેયાકારોને કારણે અહીં જ્ઞાન થાય છે એમ નથી. અનંતા પરને જાણવાથી જ્ઞાન કાંઈ અનંત-ખંડખંડ થતું નથી, જ્ઞાન અખંડ, અભેદ સ્વભાવે જ રહે છે.

અહા! આખી દુનિયાનો વ્યવસાય કરવાની ચિંતા આડે એને પોતાનું તત્ત્વ શું છે ને કેવું છે તે જાણવા-સમજવાની કોઈ દિ’ દરકાર કરી નથી. દરેક વસ્તુની વ્યવસ્થા રાખનારો હું વ્યવસ્થાપક છું એમ તું માને પણ ભાઈ! એ તારો મિથ્યા ભ્રમ છે; કેમકે તારા કારણથી બીજી ચીજમાં વ્યવસ્થા થાય તે ત્રણકાળમાં બનવું સંભવિત નથી. જગત આખુંય વાસ્તવમાં સ્વયં વ્યવસ્થિત જ પરિણમી રહ્યું છે; અને તેને જાણનારું તારું જ્ઞાન પણ વ્યવસ્થિત જ સ્વયં પરિણમી રહ્યું છે. તારે તો ભાઈ! જાણવું જ છે,