Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3772 of 4199

 

સમયસાર ગાથા-૪૧પઃ ૩૨૧

અહાહા....! પ્રત્યેક આત્મા અંદર શક્તિરૂપે ભગવાન છે. તેને જાણવાનો ઉપાય શું? -તે હવે પરિશિષ્ટમાં આવશે. ત્યાં ઉપાય-ઉપેયભાવ સમજાવશે. આત્મામાં જ્ઞાનશક્તિ તો ત્રિકાળ છે. તેની એક સમયની જ્ઞાનની જે દશા તેની સ્થિરતા તે ઉપાય અર્થાત્ મોક્ષનો માર્ગ છે અને તે એમાં (આત્મામાં) જ છે, તથા એનું ફળ જે પૂર્ણ જ્ઞાનની દશા તે ઉપેય છે તે પણ એમાં (આત્મામાં) જ છે આમ પ્રધાનપણે જ્ઞાન જ આત્માનું તત્ત્વ છે. આવી અલૌકિક વાત! સમજાણું કાંઈ....?

હવે કહે છે- ‘અહીં એમ ન સમજવું કે “ આત્માને જ્ઞાનમાત્ર તત્ત્વવાળો કહ્યો છે તેથી એટલો જ પરમાર્થ છે અને અન્ય ધર્મો જૂઠા છે, આત્મામાં નથી;” આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યાદ્રષ્ટિપણું થાય છે. વિજ્ઞાન-અદ્વૈતવાદી બૌદ્ધનો અને વેદાંતનો મત આવે છે; માટે આવો એકાંત બાધા-સહિત છે. આવા એકાંત અભિપ્રાયથી કોઈ મુનિવ્રત પણ પાળે અને આત્માનું-જ્ઞાનમાત્રનું-ધ્યાન પણ કરે, તોપણ મિથ્યાત્વ કપાય નહિ; મંદ કષાયોને લીધે સ્વર્ગ પામે તો પામો, મોક્ષનું સાધન તો થતું નથી. માટે સ્યાદ્વાદથી યથાર્થ સમજવું.’

અહાહા....! જ્ઞાનમાત્રવસ્તુ આત્મા સ્વરૂપથી જ અનંતગુણસ્વરૂપ છે. આત્મામાં જ્ઞાન ઉપરાંત આનંદ, શાન્તિ, ચિતિ, દ્રશિ, સ્વચ્છતા, પ્રભુતા, ઈશ્વરતા, અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તૃત્વ આદિ બીજા અનંત ગુણ અભેદપણે રહેલા છે. માટે આત્મા એકાંતે માત્ર જ્ઞાન જ છે એમ ન સમજવું. આત્મામાં રાગ-દ્વેષ-મોહ આદિ વિભાવ નથી, પરવસ્તુ આત્મામાં નથી- એ તો બરાબર જ છે, પણ દર્શન, જ્ઞાન, ચારિત્ર, સ્વચ્છતા, પ્રભુતા આદિ અનંતગુણ જે આત્મામાં તત્રૂપ રહેલા છે તે નથી એમ, ન સમજવું. આત્માને જ્ઞાનમાત્ર કહ્યો એ તો અપેક્ષાથી કહ્યો છે, પણ તેથી એટલો જ પરમાર્થ આત્મા છે ને બીજા ધર્મો-ગુણો આત્મામાં નથી એમ ન માનવું; કેમકે આવો સર્વથા એકાંત કરવાથી તો મિથ્યાદ્રષ્ટિપણું થાય છે.

લ્યો, હવે આવું પોતાનું તત્ત્વ સમજવાની દરકાર ન કરે ને બાયડી ને છોકરાંમાં ને બાગ, બંગલા ને હજીરામાં સુખ માની ત્યાં ચિત્ત લગાવે પણ એમાં સુખ નથી ભાઈ! એ તો બધી ધૂળ છે બાપુ! આફ્રિકામાં ગયા હતા તો એક મુમુક્ષુ કરોડપતિને ત્યાં ઊતર્યા હતા. પંદર લાખનું તો એનું મકાન! સાંભળ્‌યું કે ૯૦ લાખની તો એની વરસની કમાણી. પણ ભાઈ! એમાં સુખ ક્યાં છે? એ તો ધૂળ બીજી ચીજ બાપા! એ સંયોગી ચીજ તો આવે ને જાય; ત્યાં શું હરખ કરવો? સુખનો ભંડાર તો તારો આત્મા છે ત્યાં ચિત્તને જોડ ને. અહીં કહે છે- જ્ઞાનમાત્ર આત્મા કહ્યો એ અનંતધર્મસ્વરૂપ છે. એકાંતે આત્મા જ્ઞાન જ છે એમ ન સમજવું, અન્યથા સર્વથા એકાંત સમજવાથી મિથ્યાદ્રષ્ટિપણું આવી જશે, જૈનપણું રહેશે જ નહિ. સમજાણું કાંઈ.....?

અહા! જ્ઞાનમાં સ્વ-પરનો ભેદ પાડી જાણવાની શક્તિ છે. જ્ઞાન વડે જ ભગવાન