Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3801 of 4199

 

૩પ૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦

પ્રશ્નઃ– હા, પણ આ એક આંગળી બીજી સાથે જોડાયેલી તો છે? ઉત્તરઃ– જોડાયેલી નથી; એ તો બીજી આંગળીના અભાવસ્વરૂપ જ છે. જો એમ ન હોય તો બે ચીજ સિદ્ધ નહિ થાય. શું બે ચીજ કદી એક થાય? ન થાય; બે તો બે જ રહે. પણ એમ માન્યું ક્યારે? કે એક આંગળી બીજીપણે નથી, બીજીનું કાંઈ કરે જ નહિ- એમ યથાર્થ માને ત્યારે. અહા! ચૈતન્યપ્રકાશનો પુંજ જ્ઞાનસ્વરૂપી ભગવાન, આત્મા છે; એના જ્ઞાનમાં જ્ઞેયપણે જે અનંતા પર પદાર્થો જણાય છે ત્યાં ખરેખર તો એનું જ્ઞાન જ એને જણાય છે. પોતાની સ્વપરપ્રકાશક જ્ઞાનદશા છે તે એને જણાય છે; અને તે જ્ઞાનપણે જ આત્મા છે, પરજ્ઞેયપણે આત્મા નથી; પરજ્ઞેયપણે તો આત્મા અતત્સ્વભાવ છે એમ કહે છે. સમજાણું કાંઈ...? ભાઈ! આ તો એકલું માખણ છે બાપુ! વસ્તુનું અનેકાન્તસ્વરૂપ સમજે તો ન્યાલ થઈ જાય એવું છે.

ભાઈ! હું-આત્મા સ્વસ્વરૂપથી તત્ છું, તેમ પરથી પણ જો તત્ હોઉં તો પર અને આત્મા-પોતે એક થઈ જાય. બધું ભેળસેળ થઈ જાય, અથવા કાંઈ જ રહે નહિ. પણ એમ વસ્તુ નથી ભાઈ! હું પોતાપણે તત્ છું ને પરથી અતત્ સ્વભાવ જ છું. માટે બહારની સગવડતા હોય, ને ધનાદિ સંપત્તિ હોય તો મને ધર્મ થાય એમ વાત રહેતી નથી, અર્થાત્ એવી માન્યતા મિથ્યા માન્યતા છે, કેમકે પરપણે તું છો જ નહિ તો પરથી તારામાં કાંઈ થાય એમ કેમ બને? ભાઈ! આ બધી મિથ્યા-ઊંધી માન્યતા ફેરવે જ છૂટકો છે.

આ અનેકાન્ત તો અમૃત છે બાપુ! એને સમજી સ્વસ્વરૂપની અંતર્દષ્ટિ કરે તેને આનંદનો-અમૃતનો સ્વાદ આવે છે. આ મનુષ્યપણું પામીને કરવા જેવું કાંઈ હોય તો આ જ છે. મધ્યસ્થ થઈને સમજે તો આ સમજાય એવું છે. પોતાની ચીજ છે તે કેમ ન સમજાય? પણ વાદવિવાદથી આ પાર પડે એમ નથી. શાસ્ત્રમાં આમ લખ્યું છે ને તેમ લખ્યું છે, એમ કે વ્યવહાર પરંપરા મોક્ષનું કારણ છે ઈત્યાદિ, પણ ભાઈ! શાસ્ત્રમાં લખ્યું છે તે મૂળ સત્યને રાખીને છે કે ઉડાડીને? મૂળ સિદ્ધાંતને (નિશ્ચયને) રાખીને વ્યવહારનયના કથનના અર્થ કરવા જોઈએ. સમજાણું કાંઈ...?

અહા! જ્ઞાનસ્વભાવી આત્મા તત્પણે છે, તે જ અતત્પણે છે, તે-પણે છે તે તે-પણે નથી. આમાં અપેક્ષા સમજવી જોઈએ બાપુ! શું જે અપેક્ષાએ તત્ છે તે જ અપેક્ષા અતત્ છે-એમ છે? એમ તો વિરુદ્ધ થઈ જાય; પણ એમ નથી. પોતે જ્ઞાનસ્વરૂપથી છે, ને અનંતા બીજા જ્ઞેયસ્વરૂપથી નથી એમ વાત છે. એનો અર્થ એ થયો કે અહીં જ્ઞાનની પર્યાય પરજ્ઞેયથી થાય છે એમ નથી. વળી જ્ઞાનની પર્યાયમાં પરજ્ઞેય જણાય છે માટે પરવસ્તુ જ્ઞેયપણે પરિણમે છે એમ પણ નથી. અહાહા....! જ્ઞેય પ્રમાણ જ્ઞાન છે માટે જ્ઞેય પરિણમે છે તો અહીં જ્ઞાનનું પરિણમન છે એમ નથી. જેમાં