Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3808 of 4199

 

પરિશિષ્ટઃ ૩પ૭

આત્મા તત્ છે. પર્યાયમાં પણ જાણવા-દેખવાની પર્યાય વડે તત્ છે; અને બહાર પ્રગટ થતા એટલે કે જાણવાના પ્રકાશમાં-તત્પણામાં જણાય છે જે અનંતા પરજ્ઞેયો એનું એમાં (-જ્ઞાનપ્રકાશમાં) અતત્પણું છે, અર્થાત્ જ્ઞાનસ્વરૂપમાં તે પરજ્ઞેયો નથી. આ બાયડી, છોકરાં, કુટુંબ-પરિવાર, ધંધા-વેપાર ઈત્યાદિ જ્ઞાનમાં જણાય છે ને! તે, કહે છે, જ્ઞાનસ્વરૂપમાં નથી. વાસ્તવમાં તો તે તે પદાર્થો નહિ, પણ તે વખતે તેની જ્ઞાનની પર્યાય જણાય છે, પણ એ માને છે કે મને આ (પર) પદાર્થો જણાય છે. તે વખતે આ મારું જ્ઞાન જણાય છે એમ માને તો જ્ઞાનની પર્યાય દ્રવ્ય ઉપર ઢળી જાય. આવી વાત! સમજાણું કાંઈ....?

અહા! જ્ઞાન પોતાના સ્વરૂપ વડે તત્ છે, ને પરજ્ઞેયપણે અતત્ છે. એટલે શું? કે જ્ઞાનમાં જે બધા પરજ્ઞેયો જણાય છે તે ખરેખર પરજ્ઞેયો નથી, પણ જ્ઞાનની જ દશા છે. જ્ઞેય તો પર છે, ભિન્ન છે, ખરેખર તો જ્ઞેયસંબંધીનું પોતાનું જ્ઞાન જ અંતરંગમાં ચકચકાટ પ્રકાશે છે. જે જ્ઞાન તત્પણે છે એનો જ એ પ્રકાશ છે. આ દેવ-ગુરુ-શાસ્ત્ર ઈત્યાદિ જે જ્ઞેય જ્ઞાનમાં જણાય છે, વાસ્તવમાં તે પોતાનું જ્ઞાન જ જણાય છે, તે જ્ઞેય નહિ. વળી તે જ્ઞાનની પર્યાય પોતાથી જ પ્રકાશે છે, જ્ઞેયને લઈને નહિ; જ્ઞેયની તેને બિલકુલ જરૂર નથી અને જ્ઞેયનું તેમાં કાંઈ કર્તવ્ય પણ નથી, કારણ કે જ્ઞાન પોતે જ તત્પણે જ્ઞાનપ્રકાશના સામર્થ્યરૂપ છે અને તે પરજ્ઞેયથી અતત્પણે છે, અર્થાત્ પરજ્ઞેયનો તત્સ્વરૂપમાં- જ્ઞાનસ્વરૂપમાં અભાવ છે.

પણ લોકો (ને કોઈ પંડિતો પણ) રાડો પાડે છે કે- નિમિત્તથી થાય અને વ્યવહારથી થાય?

શું થાય? ભાઈ! નિમિત્ત તો પરવસ્તુ છે, પરજ્ઞેય છે. એનાથી આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ અતત્ છે. હવે જેનાથી અતત્ છે અર્થાત્ જે એમાં નથી, એને સ્પર્શતું નથી, તે (-નિમિત્ત) એનું શું કરે? કાંઈ જ ન કરે. સમયે સમયે જે જ્ઞાનની અવસ્થા થઈ રહી છે તે સ્વયં પોતાથી જ થઈ રહી છે, એમાં નિમિત્તનું કે વ્યવહારનું કાંઈ કાર્ય નથી. નિમિત્તથી થાય એમ કોઈ માનો તો માનો, પણ એ તો એનું અજ્ઞાન જ છે. બાકી જ્ઞાનની પર્યાય સામે જેવું નિમિત્ત હોય તેવું જાણવારૂપ થાય છતાં તે નિમિત્તને લઈને નથી. અહા! જ્ઞાનસ્વરૂપી આત્મા પ્રભુ, સમોસરણમાં બિરાજમાન ભગવાનને ‘આ ભગવાન છે’ એમ જાણે તે કાંઈ ભગવાનને લઈને જાણે છે એમ નહિ. એ તો જાણનાર જાણનારરૂપે જાણનારમાં રહીને ‘આ ભગવાન છે’ એમ વ્યવહારે જાણે છે, બાકી નિશ્ચયે તો પોતે પોતાને જ જાણે છે. સમજાણું કાંઈ....? આવી ઝીણી વાત છે.

અહા! અંદરમાં આ હું જ્ઞાનસ્વરૂપ છું તે પરપણે નથી એવો તત્પણાનો જ્યાં નિર્ણય કરે ત્યાં અનંતગુણની પર્યાય નિર્મળપણે પ્રગટ થાય છે. ભાઈ! આ તો તારા