૨૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ ભાવનું પરિણમન થતાં અંદર દ્રશિશક્તિ ઉછળે છે-પરિણમે છે, અને સાથે અનંત શક્તિઓ ઉછળે છે-પર્યાયમાં પ્રગટ થાય છે. આ બધી ક્રમબદ્ધ પ્રગટ થાય છે અર્થાત્ તે કાળે તેમની જન્મક્ષણ છે તો પ્રગટ થાય છે. પ્રવચનસારના જ્ઞેય અધિકારમાં ગાથા ૧૦૨માં આ વાત આવી છે. જ્ઞેયનો (દ્રવ્યનો) આવો સ્વભાવ છે એમ ત્યાં વર્ણન કર્યું છે.
શ્રી જયસેનાચાર્યદેવે આ (પ્રવચનસારના) જ્ઞેય અધિકારને સમ્યગ્દર્શનનો અધિકાર કહ્યો છે. ત્યાં જ્ઞેયનો સ્વભાવ એટલે દ્રવ્યના સ્વભાવની વાત છે. છએ દ્રવ્યોનો આ સ્વભાવ છે કે તેની પ્રત્યેક પર્યાયની જન્મક્ષણ છે. અર્થાત્ જે સમયે જે પર્યાય થવાની હોય તે પર્યાય તે સમયે પ્રગટ થાય જ છે. દ્રવ્યની પ્રત્યેક પર્યાય પોતાના સ્વકાળે પ્રગટ થાય છે. ત્યારે તો કહ્યું કે-ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણોનો સમુદાય તે આત્મા છે. ભાઈ! ભગવાનનો પંથ જેવો છે તેમ ખ્યાલમાં લેવો જોઈએ.
એકેક શક્તિ પોતાના સ્વભાવથી જ પરિણમન કરે છે, ને તેમાં વ્યવહારનો-રાગનો અભાવ છે. આ વસ્તુસ્વભાવ છે. વ્યવહારથી પણ શક્તિ પ્રગટ થાય ને નિશ્ચયથી પણ પ્રગટ થાય એમ છે નહિ. લોકોને સત્યાર્થની ખબર નથી તેથી તેઓ આ વાતનો વિરોધ કરે છે, પણ ખરેખર તો તેઓ પોતાનો વિરોધ કરે છે. શું થાય? એકેક શક્તિ નિર્મળપણે પરિણમે છે તેમાં વ્યવહારનો અભાવ જ છે. આ સ્યાદ્વાદ અને આ અનેકાન્ત છે. અનેકાન્તનો અર્થ એવો નથી કે નિર્મળ પર્યાય વ્યવહાર-રાગના લક્ષેય થાય ને પોતાના નિશ્ચય દ્રવ્યના લક્ષેય થાય. એ તો ફૂદડીવાદ છે ભાઈ!
આત્મા ચૈતન્યવસ્તુ છે તે દ્રવ્ય છે. તેમાં અનંત શક્તિઓ છે. શક્તિનું પરિણમન થાય તે પર્યાય છે. અને જે વેદન થાય તે પર્યાયમાં થાય છે. શક્તિ તો નિત્ય ધ્રુવસ્વરૂપે છે, તેમાં કાર્ય નથી, કાર્ય પર્યાયમાં થાય છે. વેદન- અનુભવ પર્યાયમાં થાય છે. ‘અનુભવ કરો, અનુભવ કરો’ -એમ કેટલાક કહે છે. પણ બિચારાઓને અનુભવ શી ચીજ છે એની ખબર નથી. નિરાકુલ આનંદનું વેદન થાય તે અનુભવ છે, અને તે પર્યાય છે. જુઓ, પર્યાયમાં દુઃખ છે, દ્રવ્ય-ગુણમાં દુઃખ નથી. સ્વાનુભવ કરતાં પર્યાયમાં જે દુઃખ છે તેનો નાશ થાય છે, ને આનંદના વેદનની નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. પણ હવે વેદાંતીઓની જેમ પર્યાય શું ચીજ છે એનીય ખબર ન મળે અને અનુભવની વાત કરે, પણ તેને અનુભવ શી રીતે થાય? એને તો દુઃખનો જ અનુભવ રહે. ભાઈ! ઉપયોગની દશાને અંતર્મુખ- સ્વાભિમુખ કર્યા વિના સ્વાનુભવની દશા પ્રગટતી નથી. વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી વસ્તુ જેમ છે તેમ યથાર્થ જાણવી જોઈએ.
આત્માની શક્તિઓ છે તે પારિણામિકભાવસ્વરૂપ છે. દ્રશિશક્તિ તે ભાવ (ત્રિકાળી) અને આત્મદ્રવ્ય તે ભાવવાન. તથા તે બન્ને પરિણામિકભાવે છે. પર્યાયમાં જે ભાવ પ્રગટે છે તે બીજી ચીજ છે. આ તો શક્તિ અને શક્તિવાન સહજ અકૃત્રિમ સ્વભાવરૂપ છે તે પારિણામિકભાવે છે. તે નવીન ઉત્પન્ન થતો નથી, ને તેનો અભાવ થતો નથી. અહા! આવા પારિણામિકભાવરૂપે દ્રશિશક્તિ છે. પર્યાયો નવી નવી ઉત્પન્ન થાય છે, જ્ઞાન, દર્શન આદિ ગુણો છે તે ઉત્પન્ન થતા નથી, વિનશતા પણ નથી, ત્રિકાળ શાશ્વતપણે રહે છે. અહો! આ જૈનદર્શન બહુ સૂક્ષ્મ અલૌકિક છે. તેનો પત્તો લાગી જાય તેના ભવનો અંત આવી જાય છે. એના વિના બધા ક્રિયાકાંડ-વ્રત, તપ આદિ સર્વ-ફોગટ છે, સંસારનું-બંધનું જ કારણ બને છે.
અહા! ત્રિકાળી દ્રશિશક્તિ છે તે પારિણામિકભાવે છે. ૩૨૦મી ગાથામાં મોક્ષનું કારણ કયા ભાવ છે તેનો ખુલાસો કર્યો છે. ઔદયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક, ક્ષાયિક-આ ચાર ભાવ પર્યાયરૂપ છે, ને દ્રવ્ય-ગુણ છે તે પારિણામિકભાવ છે. તેમાંથી મોક્ષનું કારણ કોણ? ત્યાં ખુલાસો કર્યો છે કે-
-પારિણામિકભાવ છે તે મોક્ષનું કારણ નથી, કેમકે તે અક્રિય છે, તેમાં કાર્ય થતું નથી. -ઔદયિકભાવ મોક્ષનું કારણ નથી, કેમકે રાગાદિ ઔદયિકભાવ છે તે બંધરૂપ ને બંધનાકારણરૂપ છે. -બાકીના ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એ ત્રણ ભાવ મોક્ષનું કારણ થાય છે; કેમકે તે શક્તિના નિર્મળ
અહીં દર્શનશક્તિની વાત ચાલે છે. અહા! તેનું અંશે નિર્મળ પરિણમન છે તે ક્ષયોપશમભાવે છે, કેવળદર્શન ક્ષાયિકભાવરૂપ છે ને દર્શનમાં ઉપશમભાવ હોતો નથી ને શક્તિના પરિણમનમાં ઔદયિકભાવનો તો અભાવ જ છે. આવી વાત છે.
ચોથા ગુણસ્થાનકે ક્ષાયિક સમકિત થાય છે તે ક્ષાયિકભાવ છે. શ્રેણીક રાજા પ્રથમ બૌદ્ધધર્મી હતા. તેમને મુનિરાજનો