Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3946 of 4199

 

૩-દ્રશિશક્તિઃ ૨૭

સમાગમ થતાં તે સમકિત પામ્યા. આત્મજ્ઞાન થયા પછી તે ભગવાન મહાવીરના સમોસરણમાં પધાર્યા. ત્યાં ક્ષાયિક સમકિત પામ્યા; ભગવાનના કારણે નહિ હોં, પોતાના અંતઃપુરુષાર્થથી; ભગવાન તો તેમાં નિમિત્તમાત્ર છે. ક્ષાયિક સમકિત થયા પછી કદી તેનો અભાવ ન થાય. ક્ષાયિક સમકિત પર્યાય છે એટલે પલટે ખરી, પણ અભાવ થઈને કદી મિથ્યાત્વ ન થાય. સમકિત થયા પહેલાં તેમને નરકગતિનું આયુષ્ય બંધાઈ ગયેલું. વર્તમાનમાં તેઓ પ્રથમ નરકમાં છે. પણ નરકમાંય તેમને શીલ છે. સમ્યગ્દર્શન-જ્ઞાન ને સ્વરૂપાચરણરૂપ શીલ તેમને ત્યાંય છે. તે શીલના પ્રતાપે ત્યાંથી નીકળી આવતી ચોવીસીમાં ભરતના પ્રથમ તીર્થંકર થઈ મોક્ષ પામશે. પાંચમા, છટ્ઠા ગુણસ્થાનમાં શીલની વિશેષતા હોય છે, તથાપિ ચોથેય શીલ હોય છે. અનંતાનુબંધી કષાયનો અભાવ છે એટલું ત્યાં નરકમાંય ચોથે ગુણસ્થાને શીલ છે. શીલ એટલે બહારમાં બ્રહ્મચર્ય હોય એની વાત નથી. આ તો સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન ને લીનતારૂપ પરિણામ તેને શીલ કહે છે. અરે! અનંત વાર મુનિપણું લઈને એ નવમી ગ્રૈવેયકનો દેવ થયો, પણ આત્મભાન વિના એને શીલ ન થયું અહા! એના પંચમહાવ્રતના ભાવ શીલ ન હતા. સમજાણું કાંઈ...?

ભાઈ! આ બધું ખાસ અભ્યાસ કરીને સમજવું પડશે હોં. બહાર (ચતુર્ગતિમાં) રખડવાનો અભ્યાસ તો અનાદિ કાળથી કરતો આવે છે. સારી નોકરી મળે, બાગ-બંગલા મળે ને પાસે પાંચ-દસ લાખની મૂડી થઈ જાય એ બધું તો ધૂળધાણી છે. બહારમાં લાખોની પેદાશ થાય એ બધો ખોટનો ધંધો છે. બહારના એમ. એ. , ને એલ. એલ. બી. ના અભ્યાસમાં વર્ષો ગાળે એ એકલો પાપનો અભ્યાસ છે. તેના ફળમાં તને દુઃખનાં નિમિત્તો મળશે. અને અહા! આ અધ્યાત્મવિદ્યાનો અભ્યાસ કરે તો તેના ફળમાં સ્વાધીન અતીન્દ્રિય આનંદ મળશે. આ સંયોગોની દ્રષ્ટિ જવા દે ભાઈ! સંયોગ તો જે આવવાયોગ્ય હશે તેજ આવશે. ‘દાણે દાણે ખાનારનું નામ’-લોકમાં એમ કહે છે ને? એનો અર્થ શું? એ જ કે જે રજકણો સંયોગમાં આવવાના છે તે આવશે જ, અને નહિ આવવાયોગ્ય સંયોગ ક્રોડ ઉપાય કર્યે પણ નહિ આવે. ભાઈ! સંયોગ મેળવવાનો ઉધમ કરે છે માટે તે મળે છે એમ નથી. (હવે તત્ત્વાભ્યાસ વિના આ કેમ સમજાય?)

ભાઈ! આ શક્તિનો અધિકાર સૂક્ષ્મ છે; માટે શાંતિથી સાંભળવું. આ આત્માના અંતરની હિતની વાત છે. દુનિયા માને ન માને એનાથી કાંઈ જ સંબંધ નથી. અહીં કહે છે-દર્શનશક્તિ અનાકાર ઉપયોગમયી છે. દર્શન એટલે શ્રદ્ધા શક્તિની આ વાત નથી. આત્માની પ્રતીતિરૂપ-સમ્યગ્દર્શનરૂપ જેનું કાર્ય છે તે શ્રદ્ધાશક્તિની આ વાત નથી. આ તો નિર્મળ દેખવાના ઉપયોગરૂપ દર્શનશક્તિની વાત છે. પોતાના દ્રવ્ય અને અનંત ગુણ-પર્યાયોને પર્યાયમાં દેખે એવી અનાકાર ઉપયોગમયી દર્શનશક્તિની આ વાત છે. અહાહા...! દ્રશિશક્તિ સહિત અંદર દ્રવ્યમાં જયાં દેખવા જાય ત્યાં તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપી જાય છે. વળી પરને દેખવાથી દર્શનશક્તિનો ઉપયોગ સાકાર થઈ જાય છે એમ નથી. દર્શન ઉપયોગ તો સ્વને, પરને-સર્વને ભેદ પાડયા વિના જ સામાન્યપણે દેખે છે. દ્રશિશક્તિ, તેની સાથે અનંતા ગુણો, અને એકરૂપ ત્રિકાળી દ્રવ્ય એ બધું દર્શન ઉપયોગમાં સામાન્યસત્તામાત્ર દેખવામાં આવે છે. ભાઈ! આ દર્શન ઉપયોગ સૂક્ષ્મ છે. અનાકાર છે ને? તેથી છદ્મસ્થ તેને પકડી ન શકે, પણ આગમ, અનુમાન અને અંતર્મુખ થયેલા જ્ઞાન વડે તે સમજાય એમ છે. આ તો બાપુ! અંતરની પોતાની ચીજને પહોંચવાની વાત છે. બાકી ૧૧ અંગનું જાણપણું થઈ જાય તોય આત્મા દેખાય એમ નથી.

અહાહા...! અનાકાર ઉપયોગ (શક્તિપણે) તો ત્રિકાળ છે, પરંતુ અજ્ઞાનીને અનાદિથી વર્તમાન વર્તતો ઉપયોગ કેવળ પરસન્મુખ પ્રવર્તતો હોવાથી તેને શક્તિનું વાસ્તવિક પરિણમન પ્રગટતું નથી, તેને શક્તિનું યથાર્થ ફળ આવતું નથી. પણ જ્યારે તે સ્વસન્મુખ થઈ સ્વ-આશ્રયે પરિણમે છે ત્યારે નિર્મળ ઉપયોગ (સ્વ-પરને દેખવારૂપ) પ્રગટ થાય છે અને સાથે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. અહાહા...! અનંત ગુણોનું રૂપ તેમાં આવી જાય છે. બીજા ગુણ તેમાં આવી જાય એમ નહિ, પણ બીજા ગુણનું રૂપ તેમાં આવી જાય છે. અહાહા...! બધું દેખાય પણ આકાર નહિ, ઉપયોગ નિરાકાર નિર્વિકલ્પ હોય છે. બધાને દેખે પણ ઉપયોગ સાકાર ન થાય, સત્તામાત્ર દેખે બસ. જ્ઞાન છે તે સવિકલ્પ છે, તે સ્વ-પરને સર્વને ભેદ પાડીને જાણે છે. પરંતુ દર્શનશક્તિનો ઉપયોગ તો સત્તામાત્ર વસ્તુમાં ઉપયુક્ત થવારૂપ છે. દર્શનક્રિયામાત્ર છે. ભાઈ! આ તારા આત્માના ગુણોનો ખજાનો ખોલવામાં આવે છે. (એમ કે સાવધાન થઈ ખજાનો જો.)

અહા! ભગવાન કેવળી કહે છે-ભાઈ! તારી ચૈતન્ય વસ્તુમાં અનાકાર ઉપયોગમયી એક દર્શનશક્તિ છે. અહાહા...! આ ઉપયોગ અને આ ઉપયોગવાન એવા ભેદનું લક્ષ છોડી અભેદ એક ચૈતન્ય વસ્તુનું જ્યાં અંતર-આલંબન કરે કે તત્કાલ નિર્મળ ઉપયોગની દશારૂપે શક્તિ પ્રગટ થાય છે; તે દ્રવ્ય-ગુણ-પર્યાય ત્રણેમાં વ્યાપે છે. અહાહા...! દ્રવ્ય