Pravachan Ratnakar (Gujarati). Gatha: 29.

< Previous Page   Next Page >


PDF/HTML Page 396 of 4199

 

ગાથા–૨૯
तं णिच्छये ण जुज्जदि ण सरीरगुणा हि होंति केवलिणो।
केवलिगुणे थुणदि जो सो तच्चं केवलिं थुणदि।। २९ ।।
तन्निश्चये न युज्यते न शरीरगुणा हि भवन्ति केवलिनः।
केवलिगुणान् स्तौति यः स तत्त्वं केवलिनं स्तौति।। २९ ।।

ઉપરની વાતને ગાથાથી કહે છેઃ-

પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળીતણા;
જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯.

ગાથાર્થઃ– [तत्] તે સ્તવન [निश्चये] નિશ્ચયમાં [न युज्यते] યોગ્ય નથી [हि] કારણ કે [शरीरगुणाः] શરીરના ગુણો [केवलिनः] કેવળીના [न भवन्ति] નથી; [यः] જે [केवलिगुणान्] કેવળીના ગુણોની [स्तौति] સ્તુતિ કરે છે [सः] તે [तत्त्वं] પરમાર્થથી [केवलिनं] કેવળીની [स्तौति] સ્તુતિ કરે છે.

ટીકાઃ– જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળા- પણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છે; તેવી રીતે શરીરના ગુણો જે શુકલ- રકતપણું વગેરે, તેમનો તીર્થંકર-કેવળીપુરુષમાં અભાવ છે માટે નિશ્ચયથી શરીરના શુકલ-રકતપણું વગેરે ગુણોનું સ્તવન કરવાથી તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન નથી થતું, તીર્થંકર-કેવળીપુરુષના ગુણોનું સ્તવન કરવાથી જ તીર્થંકર-કેવળીપુરુષનું સ્તવન થાય છે.

હવે ઉપરની વાતને સિદ્ધ કરે છેઃ-

* ગાથા ૨૯ઃ ટીકા ઉપરનું પ્રવચન *

‘જેમ ચાંદીનો ગુણ જે સફેદપણું, તેનો સુવર્ણમાં અભાવ છે માટે નિશ્ચયથી સફેદપણાના નામથી સોનાનું નામ નથી બનતું, સુવર્ણના ગુણ જે પીળાપણું આદિ છે તેમના નામથી જ સુવર્ણનું નામ થાય છેઃ-જુઓ, ધોળું સોનું એમ કહેવાય છે પણ સોનું સફેદ નથી. સોનામાં તો સફેદપણાનો અભાવ છે. તેથી સુવર્ણના ગુણ જે પીળાશ આદિ છે તે વડે જ સુવર્ણનું નામ થાય છે. આમ અસ્તિ-નાસ્તિ કર્યું.