Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3976 of 4199

 

૯-સર્વદર્શિત્વશક્તિઃ પ૭

-લોકાલોકની કોઈ અપેક્ષા નથી. અહાહા...! પોતામાં સર્વદર્શિત્વશક્તિનું સ્વરૂપ છે તે પરિણમતાં તે શક્તિ આત્મદર્શનમયી થાય છે. એમાં પરને દેખું એમ વાત જ નથી. જે આત્મદર્શનમય પરિણામ છે, તે કાંઈ પરદર્શનમય થતું નથી.

આખું વિશ્વ, અનંતા દ્રવ્ય, તેના ગુણો તથા તેની પર્યાયો-આ આખું લોકાલોક સામાન્ય સત્તાપણે મહાસત્તારૂપ છે. મહાસત્તા નામની કોઈ ભિન્ન સત્તા છે એમ નથી, પણ બધું છે... , છે... , છે એવું ભેદ પાડયા વિના સામાન્યરૂપે જે હોવાપણું તેને મહાસત્તા કહે છે. આ મહાસત્તાને ગ્રહવારૂપે પરિણમિત આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ છે. આ સર્વદર્શિત્વશક્તિ અને શક્તિવાન આત્મદ્રવ્ય-એવો ભેદ દૂર કરી ત્રિકાળી આત્મદ્રવ્યની અભેદદ્રષ્ટિ કરતાં શક્તિનું પર્યાયમાં પરિણમન થાય છે, અને તે આત્મદર્શનમયી છે એમ કહે છે. સમજાણું કાંઈ...?

અહાહા...! પરમાત્મા કેવળી કહે છે-આત્મામાં જેમ જીવત્વ, ચિતિ, દૃશિ આદિ શક્તિઓ છે તેમ તેમાં અનાદિ-અનંત એક સર્વદર્શિત્વ નામની શક્તિ છે. એમ તો દ્રશિશક્તિમાં આ સર્વદર્શિત્વશક્તિ ગર્ભિત છે. પણ દ્રશિશક્તિમાં ત્યાં સર્વદર્શીપણાની વાત ન કરી તે કારણે આ સર્વદર્શિત્વશક્તિ અલગથી દર્શાવી છે. અહા! સર્વદર્શિત્વશક્તિનું ધરનાર ત્રિકાળી આત્મદ્રવ્ય જ્યાં દ્રષ્ટિમાં આવ્યું કે સર્વદર્શિત્વશક્તિનું પર્યાયમાં પરિણમન થયું અને ત્યારે સ્વ-પરને સર્વને દેખવાની પર્યાય પોતામાં પોતાથી પોતારૂપ સહજ જ પ્રગટ થઈ છે. સર્વ-લોકાલોક છે તો તે દેખવારૂપ પર્યાય અહીં પ્રગટ થઈ છે એમ નથી, અને તેમાં સર્વને-લોકાલોકને દેખવાની અપેક્ષા છે એમ પણ નથી; કેમકે સર્વદર્શિત્વશક્તિ આત્મદર્શનમયી છે.

સર્વદર્શિત્વશક્તિ પરિણત થતાં સર્વને દેખે તેમાં પરની અપેક્ષા છે એમ નથી, સર્વને દેખવારૂપ પરિણામ સહજ જ પોતામાં પોતાને કારણે પ્રગટ થયા છે. આ વિષય પર સં. ૧૯૮૩ માં એક ચર્ચા થયેલી. જામનગરમાં એક મુમુક્ષુ વકીલ હતા. તેમને દિગંબર શાસ્ત્રોનો સૌથી પ્રથમ અભ્યાસ હતો. તેમની સાથે એક દામનગરના શેઠને ચર્ચા થઈ. શેઠ કહે કે-લોકાલોક છે તો સર્વજ્ઞપર્યાય પ્રગટ થાય છે. અહીં વકીલ કહે-એમ નહિ, સર્વજ્ઞપર્યાય પોતાના કારણે પ્રગટ થાય છે, લોકાલોક છે માટે સર્વજ્ઞદશા છે એમ છે નહિ. પછી તે બન્ને આવ્યા અમારી પાસે. ત્યારે અમે કહ્યું- ભાઈ! આત્મા જ્ઞસ્વરૂપ-સર્વજ્ઞસ્વરૂપ છે. તેને પરસંબંધી ને પોતાસંબંધી જાણવાની જ્ઞાનની જે પર્યાય પ્રગટ થાય તે પોતામાં પોતાથી થાય છે, પરના કારણે નહિ. લોકાલોક છે માટે ભગવાન કેવળીને સર્વજ્ઞદશા પ્રગટ થઈ છે એમ છે નહિ.

અરે ભગવાન! તારામાં કેટલી અપાર ઋદ્ધિ ભરી છે-તને તેની ખબર નથી! તું પરમાં મૂઢ થયો છો, પણ આંહી આચાર્યદેવ કહે છે-તારામાં એક સર્વદર્શિત્વ નામની શક્તિ ત્રિકાળ પડી છે. તેનો આધાર અંદર ત્રિકાળી દ્રવ્ય છે. અહા! તે ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લેતાં સર્વદર્શિત્વશક્તિનું પર્યાયમાં સ્વપરને દેખવારૂપ પરિણમન થાય છે તે, કહે છે, આત્મદર્શનમયી છે, તે પરિણમન પરદર્શનમય નથી, પરના લક્ષે થયું નથી, પરમય નથી. હવે આમાં કેટલાકને કાંઈ ફરક ન લાગે, પણ આમાં તો પૂર્વ-પશ્ચિમનો ફેર છે ભાઈ!

આ સર્વદર્શિત્વશક્તિ છે તે પોતાના સહજ સ્વભાવરૂપ પારિણામિકભાવે છે. અહાહા...! જેમ સહજ સ્વાભાવિક પારિણામિકભાવમય આત્મા છે તેમ તેની સર્વદર્શિત્વશક્તિ પારિણામિકભાવરૂપ છે. તેમાં કોઈ પરની- નિમિત્તની અપેક્ષા નથી. અહાહા...! પારિણામિકભાવમય નિજ ત્રિકાળી આત્મદ્રવ્યનો આશ્રય લેતાં પર્યાયમાં સર્વદર્શિત્વશક્તિનું પરિણમન થાય છે તે ક્ષાયોપશમિક કે ક્ષાયિકભાવરૂપ હોય છે. શક્તિની પૂર્ણ પર્યાય તે ક્ષાયિકભાવ છે, ને તેની અધુરી પર્યાય તે ક્ષાયોપશમિકભાવરૂપ છે, સાથે સમ્યગ્દર્શન અને સમ્યક્ચારિત્રની પર્યાય પ્રગટે છે તે ઔપશમિક, ક્ષાયોપશમિક કે ક્ષાયિકભાવે હોય છે, ને તે કાળે જે રાગ બાકી છે તે ઔદયિકભાવ છે. જુઓ, સાધક આત્માને-

-પ્રતીતિ ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકભાવરૂપ હોય છે, -ચારિત્રની દશા ઉપશમ કે ક્ષયોપશમભાવરૂપ હોય છે. અને -જ્ઞાન-દર્શન ક્ષયોપશમભાવરૂપ હોય છે. સમસ્ત વિશ્વના સામાન્યભાવને દેખવારૂપે પરિણત એવી આત્મદર્શનમયી સર્વદર્શિત્વશક્તિ-આમ કહ્યું છે એમાં ‘પરિણત’ શબ્દ કહ્યો છે તે સૂક્ષ્મ અર્થનું સુચન કરે છે. શરુઆતમાં જ એમ કહ્યું હતું કે ક્રમરૂપ અને અક્રમરૂપ પ્રવર્તતો-જ્ઞાનની સાથે અવિનાભાવી સંબંધવાળો અનંત ધર્મસમૂહ જે કાંઈ જેવડો લક્ષિત થાય છે, તે સઘળોય ખરેખર એક આત્મા છે. અહીં ક્રમમાં વિકારી પરિણામની વાત જ નથી, કેમકે આત્માની શક્તિઓ ત્રિકાળ શુદ્ધ જ છે ને તેની પરિણતિ ક્રમસર શુદ્ધ જ થાય છે એમ અહીં વાત છે. જે શક્તિઓ-ગુણ છે તે અક્રમરૂપ છે, અને તેની વ્યક્તિઓ ક્રમસર શુદ્ધ છે એમ