Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3981 of 4199

 

૬૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ સાતમી નરકના ઘોર દુઃખના ક્ષેત્રમાં ગયા છે. દશ ક્રોડાક્રોડી પલ્યોપમનો એક સાગર થાય છે, અને એક પલ્યોપમ કાળના અસંખ્યાતમા ભાગમાં અસંખ્યાત અબજ વર્ષ સમાય છે.

અહા! આત્મા અંદરમાં પૂરણ આનંદનું નિધાન પ્રભુ છે. તેનો અનાદર કરી ભોગના સુખનો આદર અને સ્વીકાર કર્યો તો તે કલ્પિત સુખના ફળમાં સાતમી નરકમાં ૩૩ સાગરોપમની સ્થિતિમાં તે જીવ મહાન દુઃખ ભોગવી રહ્યો છે. ભોગમાં સુખ નથી ભાઈ! ભોગ તો રોગ છે, દુઃખ છે, ને તેનું ફળ પણ દુઃખ છે. આ (બ્રહ્મદત્ત) ચક્રવર્તીને કુરુમતિ નામની એક રાણી હતી. તેની એક હજાર દેવો સેવા કરતા. તેનું શરીર અતિ સુંદર રૂપાળું અને કોમળ હતું. ચક્રવર્તીએ હીરાના પલંગમાં સૂતાં સૂતાં અંતિમ સમયે “કુરુમતિ, કુરુમતિ” એવા આર્ત પોકારો સહિત પ્રાણ છોડયા, અને તે જીવ સાતમી નરકે પડયો.

અહીં કોઈ એમ તર્ક કરે કે-આમાં તો કાકડીના ચોરને કટાર મારવા જેવી વાત છે. પણ એમ નથી ભાઈ! ભોગમાં (મિથ્યાત્વ સહિત) અતિ તીવ્ર આસક્તિના મહા અશુભ પરિણામ તેને હતા. પોતાના સર્વજ્ઞસ્વભાવનો અનાદર કરી, તીવ્ર ભોગાસક્ત બની તે જીવ સાતમી નરકમાં ગયો છે. અહા! પોતાના સર્વજ્ઞસ્વભાવી આત્માનો આશ્રય લઈ પરિણમે તો જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિર્મળ પરિણતિ સહિત આનંદરૂપી પુત્રનો જન્મ થાય છે, અને વિષયમાં સુખબુદ્ધિ કરી, ભોગ-વિષયના મહા તીવ્ર પરિણામનું સેવન કરે તો એના ફળરૂપે મહાદુઃખના પરિણામ ઉત્પન્ન થઈને જીવ હલકી ગતિમાં ઉપજે છે.

અહાહા...! ભગવાન આત્માનો સર્વજ્ઞસ્વભાવ છે. અહાહા...! તેનું અંતર્મુહૂર્ત ધ્યાન કરે તો કેવળજ્ઞાનની ઝળહળતી જ્યોત પ્રગટ થાય છે અને તેની સાથે અનંત અતીન્દ્રિય આનંદની ઉત્પત્તિ થાય છે. દરેક સમયે તે તે પર્યાય ભિન્ન ભિન્ન પ્રગટ થાય છે. બીજે સમયે એવી ને એવી પર્યાય પ્રગટ થાય છે, પણ એની એ નહિ. અહા! આવા નિજનિધાનને ઓળખ્યા વિના મિથ્યાત્વનું સેવન કરી પારાવાર દુઃખમય સંસારમાં જીવ પરિભ્રમે છે. અહા! એના દુઃખને કોણ કહે? તે વચન-અગોચર છે, કહી ન શકાય તેવું છે.

જુઓ, ‘હોલા’ નામના એક જાતના પક્ષી થાય છે. તે હોલા ‘સોડહમ્, સોડહમ્’ એવો અવાજ કરે છે. પણ ‘સોડહમ્’ એટલે શું એનું એને કયાં ભાન છે? ‘સોડહમ્’ એટલે હું સિદ્ધ પરમાત્મા સમાન છું. ‘સિદ્ધ સમાન સદા પદ મેરો’-એમ આવે છે ને? હા, એ પણ શુભ વિકલ્પ છે. તેમાંથી ‘સો’ (-સિદ્ધ પરમાત્મા) કાઢી નાખીને ‘અહમ્’ હું છું એમ સ્વલક્ષ-અંતરલક્ષ કરીને સ્વાનુભવ કરતાં પરિણમન થાય છે ત્યારે સર્વજ્ઞત્વશક્તિની તેને પ્રતીતિ થાય છે. અહાહા...! સર્વજ્ઞશક્તિથી ભરેલો પોતાનો પૂરણ પરમાત્મસ્વભાવ-તેની અંતર-પ્રતીતિ પરિણમન થઈને થાય તેનું નામ સમ્યગ્દર્શન છે, અહા! તે કાળે અનુભવનો રસ-આનંદરસ પ્રગટયો પછી કોણ પૂછે કે-કોણ કર્તા, કોણ કરણી ને કોણ કરમ?

અહીં સર્વજ્ઞશક્તિને ‘પરિણત’ કહેલ છે. પહેલાં પણ આત્માને જ્ઞાનમાત્ર કહ્યો ત્યાં શિષ્યે પ્રશ્ન કર્યો હતો કે- પ્રભુ! આત્માને જ્ઞાનમાત્ર કહેતાં તો એકલું જ્ઞાન આવ્યું, તો એકાન્ત થઈ જશે કે કેમ? ત્યારે ત્યાં શ્રીગુરુએ સમાધાન કર્યું કે-સાંભળ, આત્માને જ્ઞાનમાત્ર કહેતાં એકાન્ત થઈ જતું નથી, પણ અનેકાન્ત જ સિદ્ધ થાય છે. કેમકે જ્ઞાનમાત્ર ભાવમાં અનંતા ધર્મો સાથે આવી જાય છે. જેમકે-જ્ઞાન અસ્તિપણે છે, વસ્તુપણે છે, પ્રમેયપણે છે, જ્ઞાયકપણે છે-એમ જ્ઞાનમાત્ર કહેતાં તેમાં અનંત ધર્મો ભેગા આવી જાય છે. માટે અહીં એકાન્ત થતું નથી. જ્ઞાનમાત્ર ભાવનું પરિણમન થતાં જ્ઞાનમાત્ર ભાવમાં સાથે અનંત શક્તિઓ ઉછળે છે, ભેગી સર્વજ્ઞત્વશક્તિ પણ પરિણત થાય છે. અહા! એ પરિણામમાં પરનું ને રાગનું કર્તાપણું તો દૂર રહો, હું પરને અને રાગને જાણું, એ મારાં જ્ઞેય છે એમેય નથી. ઝીણી વાત છે પ્રભુ! પણ આ પરમાર્થ સત્ય વાત છે. લોકોના સદ્ભાગ્યે પરમ સત્ય વાત પ્રસિદ્ધિમાં આવી છે.

ચોથા ગુણસ્થાને જ્ઞાનમાં સ્વજ્ઞેય-ત્રિકાળી સ્વદ્રવ્ય-જાણવામાં આવ્યું ત્યાં સર્વજ્ઞત્વશક્તિની પ્રતીતિ પ્રગટ થાય છે, અને ત્યારે સમકિતીને શ્રદ્ધાપણે કેવળજ્ઞાન પ્રગટ થયું એમ કહેવાય છે. જો કે સાક્ષાત્ કેવળજ્ઞાનની પર્યાય તો તેરમા ગુણસ્થાને પ્રગટ થશે, પરંતુ સમકિતીને ચોથે ગુણસ્થાને શક્તિનું પરિણમન થતાં, અર્થાત્ સર્વજ્ઞત્વશક્તિ પરિણત થતાં, શ્રદ્ધાનમાં કેવળજ્ઞાનસ્વભાવ અને કેવળજ્ઞાનની પ્રતીતિ થઈ ગઈ છે, તેથી તેને વર્તમાન મતિ- શ્રુતજ્ઞાનપૂર્વક શ્રદ્ધારૂપે કેવળજ્ઞાન પ્રગટ થયું છે એમ કહીએ છીએ. પહેલાં કેવળજ્ઞાનને માન્યું ન હતું, હવે કેવળજ્ઞાનનો અંતરમાં સ્વીકાર થતાં કેવળજ્ઞાનને માન્યું. આનું નામ તે મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. ધવલ સિદ્ધાંત શાસ્ત્રમાં પાઠ છે ને કે મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. મતલબ કે મતિ-શ્રુતજ્ઞાનમાં કેવળજ્ઞાનનો નિશ્ચય થયો છે અને તે જ્ઞાન વધતું-વધતું પૂર્ણ કેવળજ્ઞાન