૧૦૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ શલ્ય અને ઘણા બધા વિપરીત આગ્રહ હોય છે. માટે તે અનેકવિધ શલ્યને દૂર કરવા સારુ અનેક પ્રકારે તત્ત્વાભ્યાસ કરી સાચું જ્ઞાન કરવું જોઈએ.
અહા! જ્ઞાનસ્વરૂપી આત્મા સદાય અમૂર્ત જ છે; અમૂર્તત્વ એ તેનો સ્વભાવ છે ને તે ગુણપર્યાયમાં વ્યાપે છે; જેથી તેના ગુણો અમૂર્ત અને પર્યાયો પણ અમૂર્ત છે. અરે ભાઈ! જ્ઞાનમાત્ર ભાવમાં મૂર્તપણાનો પ્રવેશ જ નથી, તેમાં કર્મનો સંબંધ ને દેહનો સંબંધ કયાંય આવતો નથી. અહા! અશરીરી ચૈતન્યબિંબ-બીનમૂરત ચિન્મૂરત પ્રભુ-તેને મૂર્ત દેહના સંબંધથી ઓળખવો એ તો કલંક છે, મિથ્યાભાવ છે. અરે ભાઈ! પોતાની અનંત ચૈતન્યશક્તિમાં ભગવાન આત્માએ મૂર્તપણાને-દેહને, કર્મને ને રાગાદિ વિકારને કદી ગ્રહ્યાં જ નથી; એ તો સદાય અમૂર્તપણે શોભી રહ્યો છે. હમણાં પણ શુદ્ધનયથી જોતાં આત્મા કર્મના સંબંધ રહિત અબદ્ધ-અસ્પૃષ્ટ અને રાગના સંબંધ રહિત છે. ધર્મી જીવ અંતર્દ્રષ્ટિ વડે પોતાના આત્માને કર્મના સંબંધ વગરનો અમૂર્ત અનુભવે છે. અહાહા...! ત્રિકાળી દ્રવ્ય-ભગવાન આત્મા ત્રિકાળ અમૂર્ત અને તેની સ્વભાવદ્રષ્ટિમાં જે નિર્મળ પર્યાય પ્રગટી તે પણ અમૂર્ત-દેહ, કર્મ અને વર્ણાદિભાવોથી રહિત છે. તથાપિ અત્યારે તો આત્મા કર્મના સંબંધવાળો છે, દેહવાળો છે, મૂર્ત છે, વિકારી છે એમ જ જે અનુભવ્યા કરે છે તે આત્મા-અનાત્માના વિવેકરહિત મિથ્યાદ્રષ્ટિ છે.
તો શાસ્ત્રોમાં જીવને મૂર્ત પણ કહ્યો છે ને? હા, કહ્યો છે; સંસારદશામાં જીવને મૂર્ત કર્મો સાથે નિમિત્ત સંબંધ છે તેથી તેનું જ્ઞાન કરાવવા ઉપચારથી તેને મૂર્ત કહ્યો છે; તોપણ નિશ્ચયથી જેનો સદાય અમૂર્તસ્વભાવ છે અને ઉપયોગગુણ વડે જે સમસ્ત અન્ય દ્રવ્યોથી અધિક છે એવા જીવને વર્ણાદિરૂપ મૂર્તપણું જરાય નથી. સમયસાર ગાથા ૬૨માં, વર્ણાદિ ભાવો સાથે જીવનું તાદાત્મ્ય માનનારને કહ્યું છે-“હે મિથ્યા અભિપ્રાયવાળા! જો તું એમ માને કે આ વર્ણાદિક સર્વ ભાવો જીવ જ છે”-અર્થાત્ જીવ મૂર્ત જ છે, “તો તારા મતમાં જીવ અને અજીવનો કાંઈ ભેદ રહેતો નથી.” વળી સંસારી જીવો મૂર્ત છે એમ જો તું કહે તો મૂર્ત તો પુદ્ગલ જ હોય છે તેથી તારી માન્યતામાં પુદ્ગલ જ જીવ ઠર્યો, જુદો જીવ તો રહ્યો નહિ; મોક્ષદશામાં પણ મોક્ષ તો પુદ્ગલનો જ થયો. માટે ન્યાય તો આ જ છે કે મોક્ષદશામાં કે સંસારદશામાં ભગવાન આત્માનો સદા અમૂર્ત-સ્વભાવ જ છે. (જુઓ સમયસાર ગાથા ૬૩-૬૪).
અહીં ‘કર્મબંધના અભાવથી વ્યક્ત કરવામાં આવતા... આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તત્વશક્તિ’-એમ કહીને ત્રિકાળી શક્તિ અને તેની નિર્મળ પર્યાય બતાવી છે; તેમ જ સંસારદશામાં કર્મબંધનું નિમિત્તપણું છે એમ પણ બતાવ્યું છે. આત્માને સંસારદશા છે ત્યારે તેના નિમિત્તરૂપ કર્મનો સંબંધ પણ છે, પણ તે કૃત્રિમ ઉપાધિરૂપ છે, ને તે અભૂતાર્થ છે, જે જીવ પોતાની અવસ્થાની અશુદ્ધતાને તથા તેના નિમિત્તને જેમ છે તેમ જાણી, તથા પોતાની શક્તિને ઓળખી, શક્તિવાન નિજ આત્મદ્રવ્યના આશ્રયે પરિણમે છે તેને અશુદ્ધતા ટળી શુદ્ધતા પ્રગટે છે, ને ત્યારે કર્મબંધના અભાવપૂર્વક આત્મપ્રદેશો સહજ-સ્વાભાવિક અમૂર્તપણે વ્યક્ત થાય છે. આમ સહજ સ્પર્શાદિશૂન્ય આત્મપ્રદેશોસ્વરૂપ અમૂર્તિકપણું ત્રિકાળ છે તે પર્યાયમાં વ્યક્ત થાય છે. આવી વાત! સમજાણું કાંઈ...? ‘સમજાણું કાંઈ...? ’ -એટલે કઈ પદ્ધતિએ કહેવાય છે તેનો ખ્યાલ આવે છે કે નહિ? બાકી વાસ્તવિક સમજણ કરી અંતર-અનુભવ કરે એ તો ન્યાલ થઈ જાય, એને આત્મા પ્રત્યક્ષ થઈ જાય એવી આ વાત છે
અહા! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા સદાય અમૂર્ત છે, ને આ શરીર તો મૂર્ત જ છે. અત્યારે પણ બન્નેનાં લક્ષણ જુદાં છે. અહા! આમ લક્ષણભેદ વડે બન્નેની ભિન્નતા જાણીને હે ભાઈ! તું મૂર્ત શરીરનો પાડોશી થઈ જા. અહાહા...! જેવા સિદ્ધ પ્રભુ અમૂર્ત, તેવો જ તું અમૂર્ત છો. માટે મૂર્ત શરીરની ક્રિયાથી ભિન્ન એવા તારા ચૈતન્યસ્વરૂપને જાણ. આ ઇન્દ્રિયાદિ મૂર્ત પદાર્થો તારા કાંઈ નથી. માટે ત્યાંથી લક્ષ હઠાવી, ઉપયોગને સ્વસ્વરૂપમાં જોડી દે. અરેરે! વિજ્ઞાનઘન પ્રભુ આત્મા મૂર્ત કલેવરમાં મૂર્છાઈ જાય એ તો મહા કલંક ને મહા વિપરીતતા છે.
ભાઈ! યથાર્થ સમજ્યા વિના (એકાંતે) કર્મથી રાગ થાય, ને રાગથી-શુભરાગથી ધર્મ થાય એમ તું માને પણ તે બરાબર નથી. જો કર્મથી રાગ થાય તો કર્મ-પુદ્ગલ જ સંસાર થયો, પણ સંસાર તો જીવની વિકારી પર્યાય અર્થાત્ વિભાવ દશા છે, અને તે પોતાની યોગ્યતાથી થઈ છે, કર્મને લઈને નહિ. તથા જો શુભરાગથી ધર્મ થાય તો શુભરાગ જ ધર્મ ઠર્યો, પણ ધર્મ તો વીતરાગતારૂપ છે. અહા! આ પ્રમાણે યથાર્થ તત્ત્વદ્રષ્ટિ થયા વિના, આત્મભાન વિના કોઈ મુનિપણું-દ્રવ્યલિંગ બહારમાં અંગીકાર કરે, પણ તેથી શું? શ્રી પ્રવચનસારમાં તેને સંસારતત્ત્વ કહ્યું છે. દ્રવ્યલિંગ ધારણ કરે, પંચ