૧૨૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૧ છે, ને એની પર્યાય કેવી છે-એ સમજવા-વિચારવાની એને ફુરસદ નથી! નિશ્ચયથી અસંખ્યપ્રદેશી ક્ષેત્રમાં અનંત ગુણની નિર્મળ પર્યાયો પ્રગટ થાય એવું એનું સ્વરૂપ છે. અહીં શક્તિના વર્ણનમાં નિર્મળ પર્યાયની વાત છે, મલિનની વાત નથી. સંકોચવિસ્તાર થાય એવી મલિન પર્યાયનો નિર્મળ પર્યાયમાં અભાવ છે. ઝીણી વાત ભાઈ!
આત્માના અસંખ્ય પ્રદેશોને અહીં નિયત કહેલ છે. નિયત પ્રદેશ તે નિશ્ચય છે; એનો અર્થ એમ છે કે જે પ્રદેશો છે તે નિયત સંખ્યાએ-અસંખ્ય છે, ને તેના સ્વસ્થાન પણ નિયત છે. ભલે સંકોચવિસ્તાર થાય, પણ પ્રદેશોની સંખ્યા નિયત જ છે. વસ્તુનું નિજઘરરૂપી દ્રવ્ય, નિજઘરરૂપી અસંખ્ય પ્રદેશી નિયત ક્ષેત્ર, ત્રિકાળ નિજઘરરૂપી કાળ અને નિજઘરરૂપી ભાવ-ચારેય એક છે ભાઈ! ભેદની દ્રષ્ટિ છોડી, અભેદ એકની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન અને ધર્મ છે. કળશટીકાના કળશ ૨પ૨માં કહ્યું છેઃ- દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય અભેદ એકરૂપ વસ્તુ છે. તેમાં પર્યાયના ભેદને ગ્રહણ કરવો તે પરકાળ છે, ને અસંખ્ય પ્રદેશના ભેદનું લક્ષ કરવું તે પરક્ષેત્ર છે. સ્વકાળમાં પરકાળની નાસ્તિ છે, સ્વક્ષેત્રમાં પરક્ષેત્રની નાસ્તિ છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ, પરભાવ પરપણે તો અસ્તિરૂપ છે, પણ પરદ્રવ્ય-ક્ષેત્ર- કાળ-ભાવની આત્મામાં નાસ્તિ છે. ઝીણી વાત છે ભાઈ! સ્વચતુષ્ટયમાં પરચતુષ્ટયનો અભાવ છે એ તો સ્થૂળ વાત છે. અહીં તો ત્રિકાળી પોતાનું સ્વરૂપ તે સ્વદ્રવ્ય, સ્વકાળ છે, ને એક સમયની વિકારી-નિર્વિકારી પર્યાયના ભેદ ઉપર લક્ષ કરવું તે પરદ્રવ્ય, પરકાળ છે. નિયમસારમાં (ગાથા-પ૦) એક સમયની પર્યાયને પરદ્રવ્ય કહ્યું છે. ત્યાં કહ્યું છે- “પૂર્વોક્ત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે; અંતઃતત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા-ઉપાદેય છે.” આવી વાત! તત્ત્વજ્ઞાનનો વિષય બહુ સૂક્ષ્મ છે ભાઈ! અભેદ એક શુદ્ધ જ્ઞાયકમાત્ર વસ્તુ દ્રષ્ટિનો વિષય છે એ મૂળવાત છે.
શક્તિ એટલે આત્માના ગુણોનું આ વર્ણન છે. ગુણી નામ આત્મા અનંત ગુણરત્નોનો ભંડાર-ખજાનો છે. ત્યાં ગુણ-ગુણીના ભેદનું લક્ષ છોડી, ગુણી નામ અભેદ જ્ઞાયકસ્વરૂપની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે. નિર્મળ રત્નત્રયસ્વરૂપ મોક્ષનો માર્ગ કહ્યો છે ને? અહા! તે રત્નત્રય કેમ પ્રગટ થાય? આત્મા શુદ્ધ ચૈતન્યરત્નાકર છે, તેના ઉપર દ્રષ્ટિ કરી તેમાં જ રમણતા કરવાથી-ત્યાં જ લીનતા કરવાથી-સમ્યગ્દર્શન સહિત નિર્મળ રત્નત્રય પ્રગટ થાય છે. આનું નામ ધર્મ છે, ને આ મોક્ષમાર્ગ છે. ભાઈ! જાણપણું (ક્ષયોપશમ) ઘણું બધુ ન હોય, વા ક્ષેત્ર-અવગાહના નાની-મોટી હોય તેની સાથે કોઈ સંબંધ નથી; અભેદ એક નિજ ચૈતન્યવસ્તુની દ્રષ્ટિ અને રમણતા કરવી તે રત્નત્રયરૂપ ધર્મ છે, ને તેનું ફળ પૂર્ણદશારૂપ મોક્ષ છે. સમજાણું કાંઈ...?
પ્રવચનસારની ૯૯મી ગાથામાં લીધું છે કે અસંખ્યપ્રદેશસ્વરૂપ તિર્યક્પ્રચય છે; તેમાં એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે, અર્થાત્ કોઈ પ્રદેશ બીજા પ્રદેશમાં ભળી જતો નથી. એમ હોય તો જ અસંખ્ય પ્રદેશ સિદ્ધ થાય. આ અસંખ્ય પ્રદેશરૂપ ક્ષેત્રની જે આકૃત્તિ છે તેને વ્યંજન પર્યાય કહે છે. તે વ્યંજન પર્યાય સંસારદશામાં સંકોચવિસ્તાર પામે છે. સિદ્ધમાં છેલ્લા શરીરથી કાંઈક ન્યૂન આકારે વ્યંજન પર્યાય અવસ્થિત રહે છે.
પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહે છે; પ્રદેશત્વ સિવાયના અન્ય ગુણોની પર્યાયને અર્થપર્યાય કહે છે. વ્યંજન પર્યાય અને અર્થપર્યાયની ક્રમવર્તી પર્યાય અને અક્રમવર્તી ગુણો-એ બેના સમુદાયને અહીં આત્મા કહ્યો છે. અહીં અશુદ્ધ પર્યાય ન લેવી. વળી પ્રદેશમાં જે કંપન થાય છે તેનો અહીં અભાવ લેવો, આ વાત પહેલાં નિષ્ક્રિયત્વશક્તિમાં આવી ગઈ છે. નિષ્ક્રિયત્વશક્તિ અનંત ગુણમાં વ્યાપક છે. અસંખ્ય પ્રદેશમાં જે વ્યંજન પર્યાય છે તેમાં નિષ્ક્રિયત્વશક્તિ વ્યાપે છે; તે પ્રદેશ ત્યાં સ્થિર થઈ ગયા. જેટલી અસ્થિરતા છે તેનો આ વ્યંજન પર્યાયમાં અભાવ છે. બહુ ઝીણી વાત પ્રભુ!
ચિદ્દવિલાસમાં ગુણ અધિકાર પાન ૮ ઉપર આમ કહ્યું છેઃ- “એક જ્ઞાનનૃત્યમાં અનંત ગુણનો ઘાટ જાણવામાં આવ્યો છે. તેથી (તે અનંત ગુણનો ઘાટ) જ્ઞાનમાં છે; અનંત ગુણના ઘાટમાં એકેક ગુણ અનંતરૂપે થઈને પોતાના જ લક્ષણને ધારે છે, તે કળા છે; એકેક કળા ગુણરૂપ હોવાથી અનંત રૂપને ધારે છે; એકેક રૂપ જે રૂપે થયું તેની અનંત સત્તા છે; એકેક સત્તા અનંત ભાવને ધારે છે; એકેક ભાવમાં અનંત રસ છે; એકેક રસમાં અનંત પ્રભાવ છે. આ પ્રકારે આ ભેદો અનંત સુધી જાણવા.” સવૈયા ટીકામાં આ વિષયનું વિસ્તારથી વર્ણન કર્યું છે.
એક જ્ઞાનની પર્યાય દ્રવ્યને જાણે, ગુણને જાણે, પર્યાયને જાણે; એ રીતે એક સમયની અનંત ગુણની પર્યાય સહિત દ્રવ્યને જાણે-એવું જ્ઞાનની પર્યાયનું નૃત્ય થાય છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં અનંત નટ, ઠટ હોય છે. સામાન્ય-વિશેષ વસ્તુને જ્ઞાન જાણે, સંકોચવિસ્તારને જાણે, અવસ્થિતને જાણે, અનંત ગુણ, અનંત પર્યાયને જાણે. એકેક પર્યાયમાં